ભારતમાં એક એવુ રેલવે સ્ટેશન છે, જેનુ કોઈ નામ નથી. આ જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. 31 માર્ચ 2017 સુધી દેશમાં કુલ 7349 રેલવે સ્ટેશન હતા. જેમાંથી એક રેલવે સ્ટેશનનું કોઈ નામ નથી. આ જાણીને લોકો ચોંકી જાય છે. તમે પણ વિચારતા હશો કે જ્યારે સ્ટેશનનું કોઈ નામ નથી તો આ સ્ટેશન પરથી લોકો ટ્રેન કેવીરીતે પકડે છે.
દેશમાં અહીં આવેલા રેલવે સ્ટેશનનું કોઈ નામ જ નથી
હવે પ્રશ્ન થાય કે લોકો આ સ્ટેશન પરથી કેવીરીતે ટ્રેન પકડે છે?
આ સ્ટેશન બર્દવાન જિલ્લાના મુખ્યમથકથી અંદાજે 35 કિલોમીટર દૂર
આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળમાં સ્થિત
મહત્વનું છે કે, આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં સ્થિત છે. આ નામ વગરનું રેલવે સ્ટેશન બર્દવાન જિલ્લા મુખ્યમથકથી અંદાજે 35 કિલોમીટર દૂર છે. આ રેલવે સ્ટેશન રાયના નામના એક ગામમાં આવેલુ છે. ભારતીય રેલવેએ વર્ષ 2008માં આ ગામમાં એક રેલવે સ્ટેશન બનાવ્યું. જો કે આ સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું નથી. આ દેશનું એક એવુ રેલવે સ્ટેશન છે, જેનું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.
તો આ કારણે ના પાડ્યુ સ્ટેશનનું નામ
તમે વિચારી રહ્યાં હશો કે ભારતીય રેલવેએ આ સ્ટેશનનું નામ કેમ રાખ્યું નથી? ઉલ્લેખનીય છે કે આ સ્ટેશનનું નામ એટલા માટે રાખવામાં આવ્યું નથી. કારણકે સ્ટેશનને લઇને રાયના અને રાયનગરના ગામોની વચ્ચે મતભેદ છે. જેના કારણે આ ગામનું નામ રાખવામાં આવ્યું નથી. ખરેખર, વર્ષ 2008 પહેલાં એક રેલવે સ્ટેશન રાયનગરમાં રાયનગર રેલવે સ્ટેશનના નામે હતુ ત્યારે જ્યાં ટ્રેન ઉભી રહેતી હતી. તેની 200 મીટર પહેલા એક નેરો ગેજ રૂટ હતુ. જેને બાંકુડા-દામોદર રેલવે રૂટ કહેવામાં આવતો હતો. ત્યારબાદ જ્યારે ત્યાં બ્રોડ ગેજની શરૂઆત થઈ તો નવુ રેલવે સ્ટેશન રાયના ગામની પાસે બનાવવામાં આવ્યું. પછી તેને માસાગ્રામની પાસે હાવડા-બર્ધમાન રૂટ પાસે જોડવામાં આવ્યું. જ્યારે સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું તો રાયના ગામના ગ્રામજનોએ તેનુ નામ રાયનગર ના કરવાન વાત કહી.