NCPના પ્રમુખ શરદ પવારે પુલવામા હુમલા પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં મોદી સરકાર સામે નારાજગી હતી પરંતુ પુલવામા હુમલા બાદ માહોલ બદલાઇ ગયો. શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા એવું વાતાવરણ હતું કે મોદી સરકાર ફરી સત્તામાં નહીં આવે. પરંતુ પુલવામા ઘટના બાદ તમામ પરિસ્થિતિ જ બદલાઇ ગઇ જેનો ફાયદો સરકારને થયો.
સરકાર પર ચૂંટણી ફાયદાને લઇ ષડયંત્રનો લગાવ્યો આરોપ
પુલવામા હુમલા જેવી ઘટના બદલી શકે છે ચૂંટણીનો માહોલ
ટૂંક સમયમાં યોજાવાની છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી
પુલવામા હુમલાની થવી જોઇએ યોગ્ય તપાસઃ શરદ પવાર
શરદ પવારે કહ્યું કે મેં પણ જે-તે સમયે રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. હું કેટલાક પૂર્વ સેનાના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે તેઓએ પુલવામા હુમલા પર શંકા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ જાણીજોઇને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની યોગ્ય તપાસ થવી જરૂરી છે.
પુલવામા હુમલા જેવી ઘટના બદલી શકે છે ચૂંટણીનો મહોલ
મહારાષ્ટ્રમાં આવનારા મહીનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્યારે દરેક પાર્ટી લોકોને પોતાની પાર્ટીમાં મતદાન કરાવવા માટે રણનીતિ બનાવી રહ્યાં છે. જો કે આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે પુલવામાં જેવો આતંકી હુમલો મહારાષ્ટ્રના લોકોનું મન બદલી શકે છે કારણ કે હાલની રાજ્ય સરકાર તરફ તેમની નારાજગી છે.
Only Pulwama attack-like incident can change people's mood in Maharashtra: Sharad Pawar
શૂં હતો પૂલવામા હુમલો
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યું હતું. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જેને લઇને કેન્દ્ર સરકારે 26-27 દરમિયાન રાતે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર હુમલો કર્યો હતો.