પોરબંદર: રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન માત્ર કાગળો પર હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે પોરબંદરના નાગકા ગામની ફુલકીવાવ વિસ્તારની સરકારે સીમ શાળાની વાત કરીએ તો આ સ્કૂલમા માત્ર એક જ રૂમમાં 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એક જ ક્લાસરૂમમાં ભણાવવામાં આવતા વિદ્યાર્થીઓ ભણી પણ શકતા નથી.આ સાથે જ આ સ્કૂલની સ્થિતિ વિશે વાત કરીએ તો સ્કૂલની હાલત પણ કથળેલી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં ભય પણ જોવા મળ્યો હોય છે.
ઉલ્લેખનીય છે કે આ શાળામાં માત્ર એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે. 7 ધોરણના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષણ ભણાવે છે. આ મામલે સ્કૂલ દ્વારા ઘણી વખતે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા અત્યાર સુધીમાં સ્કૂલમાં શિક્ષકોની ભર્તી કરવામા આવી નથી.
આ ઘટનાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ સ્કૂલની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે રાજ્યમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ થયા હવે આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે રાજ્ય સરકાર દ્વારા એક તરફ શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના નાગકા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ધોરણ-7 સુધીના તમામ વિદ્યર્થીઓને ભણાવે છે. રાજ્ય સરકાર આ મામલે ગંભીર નોંધ લઇને તાત્કાલિક અસરથી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.