અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે.
અમદાવાદ મનપાની બેઠકમાં લેવાયા મહત્વાના નિર્ણય
15 મે સુધી અમદાવાદમાં તમામ સેવાઓ પર પ્રતિબંધ
દવા અને દૂધ સિવય તમામ સેવાઓ બંધ રહેશે
અમદાવાદમાં ગઈકાલે 39 મોત નોંધાયા છે અને 349 નવા કેસ નોંધાયા છે ત્યારે ખુદ રાજ્ય સરકાર પણ આ મામલે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી માર્ચ સુધી અમદાવાદમાં દૂધ અને દવાઓ સિવાયની કોઈ પણ સેવાઓ ખુલ્લી નહીં રહે. આજે રાતે 12 વાગ્યાથી આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
15મી મે સુધી અમદાવાદમાં શાકભાજી કરિયાણું નહીં મળે
અમદાવાદમાં સુપરસ્પ્રેડર શાકભાજી વેચનાર અને કરિયાણા તેમજ અન્ય દુકાનોને કારણે કોરોનાનો ફેલાવો વધ્યો હતો જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતે 12 વાગ્યાથી નવા નિયમો અમલી બનશે. આ સાથે દવા અને દૂધની દુકાનો સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સને ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. જો આમ ન થયું તો તેમનું લાયસન્સ પણ રદ્દ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. જ્યારે રેડ ઝોનમાં બેંકો પણ નહીં ખોલવાનું કહેવામાં આવ્યું છે.
આ વ્યવસ્થા જાળવવા માટે ડે.કમિશ્નર અને આસિ. કમિશ્નરને સત્તા આપવામાં આવી છે. જ્યારે જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.
તંત્રની આ જાહેરાત બાદ લોકો વસ્તુઓ લેવા ઊમટ્યાં
AMCની આ મહત્વની જાહેરાત બાદ અમદાવાદના વિસ્તારોમાં ચીજવસ્તુઓ લેવા દુકાનો પર ઉમટી પડ્યાં હતાં. આવામાં ફરી એક વખત શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ભંગ થવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.