કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસ સામે મોટી-મોટી મહાસત્તાઓ પણ કોરોના વાયરસના કારણે ઘૂંટણીએ બેસી ગઈ છે. કોરોના વાયરસનાં કારણે આર્થિક મોરચા પર પણ ભારે નુકસાન થઇ રહ્યો છે અને આગામી સમયમાં નુકસાન વધવાની સંભાવના છે.
વિશ્વમાં આર્થિક મંદીના ભણકારા
વિકાશસીલ દેશોને થશે નુકસાન
આર્થિક મંદીથી બહાર આવવા માટે 2 થી 3 ટ્રિલિયન ડોલરની જરૂર પડશે
કોરોના વાયરસનાં કારણે વિશ્વનું અર્થતંત્ર તબાહ થઇ જશે. આર્થિક મંદીએ આવીને ઉભું છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેનાથી ભારત અને ચીનને ફરક નહીં પડે.
વિશ્વમાં આર્થિક મંદીના ભણકારા થઇ રહ્યા છે ત્યારે એવામાં વિકાસશીલ દેશોને તેનું ભારે નુકસાન થશે. જોકે તેમાં ભારત અને ચીન અપવાદરૂપ છે. યુએનસિટીએડીનાં સેક્રેટરી જનરલ અનુસાર કોરોના વાયરસનાં કારણે આર્થિક મંદી જોવા મળશે. જેમાં આગામી સમયમાં હજુ પછડાટ જોવા મળશે જેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ થશે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર વર્તમાન સ્થિતિને જોતા વિકાસશીલ દેશોએ આર્થિક મંદીથી બહાર આવવા માટે 2 થી 3 ટ્રિલિયન ડોલરની જરૂર પડશે. સાથે જ વિકાસશીલ દેશોએ હાલાત સામાન્ય કરવામાં ઓછામાં ઓછા 2 વર્ષનો સમય લાગશે.
હાલમાં જ G 20 દેશો દ્વારા કોરોના વાયરસ સામે લડવામાં એક પેકેજની જાહેરાત કરી હતી જેના સંયુક્ત રાષ્ટ્રએ વખાણ કર્યા છે. આ દેશોએ ભેગા થઇને આશરે 375 લાખ કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી હતી. જેના પર સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે આ મોટા સંકટ સામે લડવા માટે કે અભૂતપૂર્વ પગલું છે. જેનાથી આર્થિક મંદી સામે લડવામાં મદદરૂપ થશે.