ભાવનગરની એક સમાજસેવી સંસ્થાની અનોખી પહેલ. ગણપતિના દર્શન માટે નિયમ છેકે, પહેલો ડોઝ લીધો હોય તેમને જ ગણપતિના દર્શન કરવા દેવાશે. જેમણે,વેક્સીન નથી લીધી તેમને અહીં કરાય છે વેક્સીનેશન.
ભાવનગરમાં લોકજાગૃતિના શ્રી ગણેશ
વેકસીનના પહેલા ડોઝ પછી જ દર્શન
દર્શન પહેલા વેક્સીન અપાય છે શ્રદ્ધાળુઓને
ગુજરાતમાં લાખો લોકોનું રસીકરણ સફળતા પૂર્વક થઇ ગયું છે. પરિણામે,કોરોના પણ વકરતા હાંફી ગયો છે.આમ છતાં ત્રીજી લહેરની આશંકા અને કેટલીક અંધશ્રદ્ધા -અફવાઓના કારણે નાગરીકો કોરના વાયરા વિરોધી રસી લેતા નથી.ત્યારે,ભાવનગરની એક સમાજ સેવી સંસ્થાએ અનોખી પહેલ કરી છે. સંસ્થાએ ગણપતિના દર્શન માટે નિયમ બનાવ્યો છેકે, જેમણે પહેલો ડોઝ લીધો હોય તેમને જ ગણપતિના દર્શન કરવા દેવાશે. જેમણે,વેક્સીન નથી લીધી તેમને અહીં વેક્સીન અપાય છે પછી જ દર્શન માટે અનુમતિ આપવામાં આવે છે.
કોર્નાની પહેલી કરતા બીજી લહેર દેશ અને ગુજરાતમાં વધુ ઘાતક નીવડી છે.આમ છતાં, કેટલીક અંધ શ્રદ્ધા અને કેટલીક અફવાઓને લઈને કેટલાક લોકો રસી નથી લઇ રહ્યા.ભાવનગરના પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા ગણપતિના ભક્તો માટે એક અનોખી પહેલ આદરવામાં આવી છે. જેઓએ વેક્સીન હજુ સુધી નથી લીધી તેઓને અહીં વેક્સીન આપવામાં આવે છે અને ત્યાર બાદ જ ગણપતિના દર્શન કરવા દેવાય છે.બીજો નિયમ એ છે કે, જેઓએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે તેઓને જ દર્શન માટે અનુમતિ આપવામાં આવે છે.
આને કહેવાય લોકજાગૃતિ અંગેની સાચી પહેલ.
પાટણમાં ભારતનો સૌથી જૂનો ગણેશોત્સવ
ગાયકવાડ રાજમાં પાટણમાં મહારાષ્ટ્રના 500 પરિવારો વસતા હતા. ત્યારે 1878ના વર્ષમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ આ મહોત્સવને 1928માં 50 વર્ષ પૂર્ણ થતા તેનો સુવર્ણ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આજે પણ સુવર્ણ શતાબ્દી મહોત્સવના પ્રાચીન સિક્કા અને સ્મૃતિ ચિન્હ અને લખાણ પરિવાર પાસે સંઘરાયેલા છે.1892માં લોકમાન્ય તીલકે પૂના ખાતે લોકજાગૃતિના ભાગરૂપે ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો જોકે એના 14 વર્ષ પહેલાથી પાટણનો સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાતો હતો એટલે કહી શકાય કે સમગ્ર ભારતભરમાં અને મહારાષ્ટ્રમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં સૌથી જૂનો ગણેશ મહોત્સવ પાટણનાં ગજાનંદ મંડળ દ્વારા ઉજવાતો સાર્વજનિક ગણેશ મહોત્સવ છે. જે 11 દિવસ સુધી ઉજવાય છે અને પુનમના દિવસે ગણેશ વિસર્જન થાય છે.
રાજકોટમાં લોકમેળા થીમના ગણપતિ
આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે...અને રાજ્યમાં ભાવિક ભકિતોએ અનેક જગ્યાએ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. ત્યારે રાજકોટમાં પણ લોકમેળાની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રામાનુજ પરિવારે પોતાના ઘરમાં જ લોકમેળાની થીમ આધારિત ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. આ લોકમેળાની પ્રતિકૃતિમાં ચકડોળ, વિવિધ રાઇડ્સ, ખાણીપીણીની દુકાનો, વેક્સિન અને સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યા છે...સાથે જ લોકોને પર્યાવરણની જાળવણી કરવા અપીલ કરી છે.