બનાસકાંઠાના દિયોદરના ખેડૂતો દ્વારા GETCO વીજકંપની સામે મોટો વિરોધ.સોમવારથી ધરણાના મંડાણ.સુખદ ઉકેલ નાં આવે તો ઉગ્ર આંદોલનની અપાઈ ચીમકી. પંથકમાં વીજળી વેરણ બની
દિયોદરના ખેડૂતોનો GETCO સામે વિરોધ
કંપની પર્યાપ્ત માત્રામા નથી આપતી વીજળી
રવિ સિઝનમાં ખેડૂતોને છેતરાતા હોવાનો અહેસાસ
બનાસકાંઠાના દિયોદરના ખેડૂતો દ્વારા GETCO વીજકંપની સામે મોટો વિરોધ નોધાવતા રોષ પ્રસરી રહ્યો છે. દિયોદરના કુવારવા 66 કેવી સબસ્ટેશનમાં ખેડૂતોએ ઘેરાવો કરી GETCO સામે નારાજગી પ્રદર્શિત કરી હતી. ખેડૂતોનો રોષ એ છે કે, 8 કલાકના બદલે માત્ર 6 કલાક જ વીજળી આપવામાં આવે છે. આ રોષ અને રીસને આગળ ધપાવતા ખેડૂતો સોમવારે દિયોદરના વખામાં ખેડૂતો ધરણા કરશે.ખેડૂતોનું કહેવું છે કે, અમારી માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશુ. વારંવાર ટીપ મારવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. હાલ રવિપાકની સીઝન ચાલી રહી હોવાના કારણે વીજળી પર્યાપ્ત નાં મળતા ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે.
.
આ કોઈ પહેલી ઘટના નથી કે, ખેડૂતોએ GETCO કંપની સામે મોરચો માંડ્યો હોય. ગુજરાતમાં કેટલીય જગ્યાએ કંપની સામે ખેડૂતોની નારાજગી અગાઉ પણ પ્રદર્શિત થઇ ચુકી છે. સોમવારે ખેડૂતો ધારણા તો કરશે જ સાથોસાથ ન્યાય માટે રણશિંગું ફૂંકાશે.જો આટલેથી સમસ્યાનો ઉકેલ નહિ આવે તો પછી આ પંથકના ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવા સિવાય વિકલ્પ નહિ હોવાનું પણ જણાવી રહ્યા છે