કોરોના સંક્રમણ અટકાવવા માટે હાલ સરકાર વેક્સિનેશન પર વધુ ભાર આપી રહી છે પણ વેક્સિનની અછતને કારણે સમગ્ર દેશમાંથી સરકારની આલોચના થઈ રહી છે.
જાન્યુઆરીથી અત્યારસુધી માત્ર 5 ટકા લોકોને જ વેક્સિનના બંને ડોઝ મળ્યા
સરકારના કહ્યા અનુસાર ઓગસ્ટ મહિનાથી રોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યા આ સવાલ
જાન્યુઆરીથી અત્યારસુધી માત્ર 5 ટકા લોકોને જ વેક્સિનના બંને ડોઝ મળ્યા
ભારતમાં જાન્યુઆરથી વેક્સિનેશનની શરૂઆત થઈ હતી, ત્યારથી લઈ અત્યાર સુધીમાં દેશમાં માત્ર 5 જ ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ મળ્યા છે. પાંચ મહિનામાં માત્ર ધીમી ગતિએ જો વેક્સિનેશન ચાલતું રહ્યા તો ઘણા વર્ષો નીકળી જશે આખા ભારતના લોકોને વેક્સિન આપતા. આ મુદે દેશના વિપક્ષના નેતાઓ, એક્સપર્ટ અને સામન્ય નાગરિક પણ સરકારની ટીકા કરી રહ્યો છે. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને પત્ર લખી વેક્સિન વધુ લેવાની માંગણી કરે છે, તો ઘણા રાજ્યો એવાં પણ છે જે હવે ગ્લોબલ ટેન્ડર ભરી બીજા દેશ પાસેથી વેક્સિન મંગાવી રહી છે. સોમવાર સવાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી વેક્સિનના 23 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
સરકારના કહ્યા અનુસાર ઓગસ્ટ મહિનાથી રોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટ પણ કોરોનાને કારણે ઘણી વાર સરકારની કામગીરી અને નીતિ પર સવાલ ઉઠાવતી હોય છે. આવી જ એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે ડિસેમ્બર 2021 સુધીમાં ભારતના 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ મળી જશે. પણ કોર્ટનું કહેવું છે કે અત્યાર સુધી દેશમાં માત્ર 5 ટકા લોકોને વેક્સિન મળી છે તો આવનાર 6 મહિનામાં સમગ્ર દેશના લોકોનું વેકસીનેશન શક્ય કઈ રીતે છે. આ મત પર એક્સપર્ટ લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ માત્ર 35-40 ટકા લોકોને જ વેક્સિન આપી શકાય. કારણકે જે ઝડપથી વેકસીનેશન થઈ રહ્યું છે તે રીતે તો આખા દેશને આટલા મહિનામાં વેક્સિન આપવી મુશ્કેલ છે. એક રિપોર્ટ અનુસાર સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક પત્રમાં જણાવ્યું છે કે તેઓ જૂન મહિનાથી 10-12 કરોડ વેક્સિનનું ઉત્પાદન કરશે. એટલે કે તે 50 ટકા વધુ ઉત્પાદન કરવા જઈ રહ્યું છે. એવી જ રીતે ભારત બાયોટેક પણ વેક્સિનનું ઉત્પાદન વધારવા જઈ રહી છે. તે પણ જુલાઇના અંત સુધીમાં 10 થી 12 કરોડ ડોઝ આપી શકશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યા આ સવાલ
આ બાજુ સુપ્રીમ કોર્ટે સવાલ કરતાં પૂછ્યું કે "તમે જે ડિજિટલ ઈન્ડિયાની વાત કરો છો, પણ હકીકત કેટલી જાણો છો?" સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસે સવાલ પૂછ્યા અને કહ્યું કે કોવિન વેબસાઇટ પર જે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, તો શું ગામડાન લોકો આ પ્રક્રિયા કરી શકે છે? વધુમાં સુપ્રીમકોર્ટ સવાલ કરતાં કહ્યું કે "ભારતમાં ડિજિટલ સાક્ષરતા ખૂબ જ નહિવત છે, મે આ સંદર્ભમાં ઘણી બધી સમસ્યાઓ સામે આવતા જોઈ છે અને ઘ્યાન લોકો તેનાથી પીડાય છે. તમારે હજી વધુ સરળ બનવું પડશે અને હકીકતમાં શું શું સમસ્યાઓ આવી રહી છે તે સમજવી પડશે. તમે મહેરબાની કરીને જાગો, કોફી સૂંઘો અને જોવો કે દેશમાં શું થઈ રહ્યું છે.