રાજ્યમાં આગ ઓંકતી ગરમી પડી રહી છે. ત્યારે હવે રાજ્યમાં જળ સંકટ પણ ઘેરૂ બન્યું છે. રાજ્યમાં આવેલા 204 ડેમોમાં હવે માત્ર 16 ટકા જ પાણી બચ્યુ છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સરદાર સરોવર ડેમમાં હાલ માત્ર 52.54 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જો ચામાસામાં વિલંબ થશે તો પાણીની સમસ્યા વધુ વિકરાળ બની શકે છે. તૌ સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર અને કચ્છની છે. સૌરાષ્ટ્રના 139 ડેમોમાં માત્ર 6.84 ટકા જ પાણી બચ્યુ છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 12.36 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 39.47 ટકા જ પાણી બચ્યુ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 13.96 ટકા જ પાણી બચ્યુ છે. હાલ ડેમમાં પાણીના જથ્થાને જે આંકડા આવ્યા છે તે ખરેખર ચિંતાજનક છે.