ગત 24 કલાકમાં 231 દિવસોના સૌથી ઓછા એટલે કે 13, 058 નવા સંક્રમણના મામલા મળ્યા છે.
24 કલાકમાં 231 દિવસોના સૌથી ઓછા કેસ મળ્યા
એક દિવસમાં માત્ર 13, 058 નવા સંક્રમણના મામલા
દેશમાં 98.67 કરોડથી વધારે લોકોને રસી અપાઈ
24 કલાકમાં 231 દિવસોના સૌથી ઓછા કેસ મળ્યા
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું સંકટ ઓછું થતું જોવા મળી રહ્યું છે. ગત એક દિવસમાં માત્ર 13, 058 નવા સંક્રમણના મામલા મળ્યા છે. આ આંકડો ગત 231 દિવસોમાં સૌથી ઓછો છે. એક તરફ નવ કેસોમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે 24 કલાકમાં 19,470 લોકો સાજા થયા છે. આની સાથે એક્ટિવ કેસોનો આંકડો પણ ઘટતા 183,118 ના સ્તર પર આવી ગયો છે. જે 227 દિવસોમાં સૌથી ઓછો છે. કોરોના સંક્રમણથી દેશને સતત રાહતથી આ સંભાવનાઓ પણ લગાવવામાં આવી રહી છે કે કદાય હવે આની ત્રીજી લહેર નહીં આવે. ઉલ્લેખનીય છે કે એક્સપર્ટ્સે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર દરમિયાન ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.
દેશમાં 98.67 કરોડથી વધારે લોકોને રસી અપાઈ
હવે જે રીતે નવા કેસોમાં તેજીથી ઘટાડો આવી રહ્યો છે અને લોકો રિકવર થઈ રહ્યા છે. તેનાથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે કદાચ હવે કોરોનામાંથી મુક્તિ મળી હોય. એક તરફ કેસ ઓછા થઈ રહ્યા છે તો બીજી તરફ દેશમાં 98.67 કરોડથી વધારે લોકોને રસી અપાઈ ચૂકી છે. એટલું જ નહીં આ અઠવાડિયાના અંત સુધી આંકડો 1 અરબને પાર પહોંચી શકે છે. કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધી દેશમાં સમસ્ત વયસ્ક વસ્તીનું રસીકરણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
દેશમાં 3.34 કરોડથી વધારે લોકો કોરોનાથી રિકવર
કોરોનાનો રિકવરી રેટ તેજીથી વધતા 98.14 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020 બાદથી સૌથી વધારે છે. અત્યાર સુધી દેશમાં 3.34 કરોડથી વધારે લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. ટકાવારીના હિસાબથી કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસ હાલમાં 0.54 ટકા છે. આ ગત દોઢ વર્ષનો સૌથી નીચલુ સ્તર છે. એટલું જ નહીં વીકલી પોઝિટિવિટી રેટ પણ તેજીથી ઘટતા 1.36 ટકા રહી ગયો છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ હવે 1.11 ટકા બચ્યો છે. આ આંકડો ગત 50 દિવસોમાં સૌથી ઓછો છે.