કોરોનાની મહામારીને પગલે લગ્નપ્રસંગો અટકી પડ્યા છે ત્યારે હવે લોકો પણ પોત પોતાની રીતે રસ્તો શોધીને 100 જણાનો ચાર વાર જમણવાર કરીને 400 માણસોનો જમણવાર યોજી દે છે.
100-100 લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે
લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે
100થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે
કોરોનાને અટકાવવા માટે લગ્નપ્રસંગમાં હાજર રહેનારાંની સંખ્યા 200થી ઘટાડીને 100 કરી દેવામાં આવી છે. વર્તમાન સંજોગોમાં સામાન્ય પરિવારમાં પણ 200 થી 300 લોકોનું રસોડું થાય એ સ્વાભાવિક છે.
100-100 લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે
કોરોનાના કારણે માત્ર 100 લોકોની મંજુરી હોવાથી જે લોકો બહોળો પરિવાર અને મિત્ર વર્તુળ ધરાવે છે તેવા પરિવારો અસમંજસમાં આવી ગયાં છે. 1000 લોકોની ગણતરી હોય તેવા સંજોગોમાં અડધા લોકોને કટ કરીને 500 લોકોને આમંત્રણ આપી 100-100 લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે.
લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે
સંબંધ જાળવણી માટે સામાજીક જુગાર કરતાં અમુક પરિવારોએ લગ્નના આગલા સાવ અંગત લોકોના મંડપના જમણવારમાં સંખ્યા વધારી સંબંધી મહિલા સભ્યોને તેમાં ઉમેરી દેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સાંજના સમયે લાપસી જમણ યોજવામાં આવી છે. જ્યારે, લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે.
100થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે
આ રીતે એક જ લગ્નમાં કુલ 4 પ્રસંગોમાં જમણવાર યોજીને 400 લોકોને સાચવી લેેવામાં આવે છે. પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં કેટલા પેટા પ્રસંગ હોય તેવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કે 100થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે.