સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની નોટીસમાં ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક પાન કાર્ડનું આધાર સાથે જોડાણ કરાવે. બેંકે જણાવ્યું કે, પાન કાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. એટલેકે 30 સપ્ટેમ્બર પહેલાં પાન કાર્ડને આધાર સાથે જોડી દો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને નોટીસમાં કરી અપીલ
તાત્કાલિક પાન કાર્ડનું આધાર સાથે કરાવો જોડાણ
જો નહીં કરો તો તમને 1000 રૂપિયા સુધીનો થશે દંડ
પાન કાર્ડને આધાર સાથે નહીં જોડો તો આ સેવા મળશે નહીં
એસબીઆઈ બેંકે વધુમાં કહ્યું કે, જો ગ્રાહકો પાન કાર્ડને આધાર સાથે જોડશે નહીં તો તેઓ સીમલેસ બેન્કિંગ સર્વિસનો આનંદ લઈ શકશે નહીં. પાન કાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. જો નક્કી સમયમર્યાદામાં તમે પાન કાર્ડને આધાર સાથે જોડશો નહીં તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજીયાત કરી દીધુ છે. CBDT પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાણ કરવાની અંતિમ તારીખ પહેલાં 30 જૂન હતી. પરંતુ બાદમાં આ મર્યાદાને વધારવામાં આવી હતી.
તમને મહત્તમ 1000 રૂપિયા સુધીનો દંડ થશે
જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડશો નહીં તો કલમ-234H હેઠળ તમને મહત્તમ 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તેથી દરેક બેંકો પોતાના ખાતાધારકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની સલાહ આપી રહ્યાં છીએ. તો બે રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડી શકાય છે. પ્રથમ SMS દ્વારા અને પછી આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈ બંને કાર્ડનું તમે જોડાણ કરી શકો છો.
SMS દ્વારા પણ પાન કાર્ડને આધાર સાથે જોડી શકો છો
SMS દ્વારા પણ તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડી શકો છો. જેના માટે તમારે પોતાના SMS બોક્સમાં કેપિટલ લેટરમાં UIDPN ટાઈપ કરવુ પડશે. ત્યારબાદ થોડી જગ્યા આપીને તમારો 12 ડિઝીટનો આધાર નંબર અને ફરી સ્પેસ આપીને 10 આંકડાનો પાન કાર્ડ નંબર ટાઈપ કરવો પડશે. આ SMSને 567678 અથવા 56161 પર મોકલી દો.