રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં અનિયમિતતા દૂર કરવા અને વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ચકાસવા માટે ઓનલાઈન હાજરીનો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. કેમ કે ઓનલાઈન હાજરીથી વિદ્યાર્થીઓનું અને શિક્ષકોનું ઓનલાઈન મોનિટરિંગ સરળ થઈ જાય છે. વિદ્યાર્થીઓની શાળામાં હાજરીનું પ્રમાણ અને ગેરહાજરીનું પ્રમાણ સરળતાથી જાણી શકાય છે. એટલું જ નહીં જે તે વિદ્યાર્થીની ગેરહાજરીનું કારણ જાણી વ્યક્તિગત રિપોર્ટ મેળવાનું પણ સરળ બની જાય છે.
રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. એ સાથે જ શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી (Online Attendance) નો નિયમ પણ લાગુ થઈ ગયો છે. છતાં ઘણી શાળાઓમાં ઓનલાઈન હાજરી પુરવામાં ધાંધિયા જોવા મળી રહ્યાં છે. શહેરની શાળાઓમાં શિક્ષકો હાજરી નહિ પૂરતા હોવાનું ધ્યાને આવતાં જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer) એ અમદાવાદ શહેરની 20 શાળાઓનાં આચાર્યોને નોટિસ ફટકારી છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં અનિયમિતતા દૂર કરવા અને વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ચકાસવા માટે ઓનલાઈન હાજરીનો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. કેમ કે ઓનલાઈન હાજરીથી વિદ્યાર્થીઓનું અને શિક્ષકોનું ઓનલાઈન મોનિટરિંગ સરળ થઈ જાય છે. વિદ્યાર્થીઓની શાળામાં હાજરીનું પ્રમાણ અને ગેરહાજરીનું પ્રમાણ સરળતાથી જાણી શકાય છે. એટલું જ નહીં જે તે વિદ્યાર્થીની ગેરહાજરીનું કારણ જાણી વ્યક્તિગત રિપોર્ટ મેળવાનું પણ સરળ બની જાય છે. તે ઉપરાંત ઓનલાઈન હાજરી પૂરવાથી શિક્ષકો પણ ક્યારે ક્યારે ગેરહાજર રહ્યાં છે તે પણ જાણી શકાય છે. જેનાં કારણે સરવાળે જે ઓનલાઈન ડેટા એકઠો થાય છે તેનાં આધારે હાજરી તેનાં વિદ્યાર્થીનાં ગુણાંકન પર પડતો પ્રભાવ પણ જાણી શકાય છે. આ ડેટા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરીનો નિયમ પણ લાગુ થઈ ગયો છે. જો કે તેમ છતાં સત્ર શરૂ થયા ને 20 દિવસ બાદ પણ શહેરની ઘણી શાળાઓ ઓનલાઈન હાજરી ન ભરતી હોવાનું ધ્યાને આવ્યું છે. જે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન નથી ભરવામાં આવી રહી તેવી શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારીએ યાદી બનાવી છે. આવી 20 સ્કૂલનાં આચાર્યને ઓનલાઇન હાજરી ભરવા તાકીદ કરી છે.
જ્યારે રાજ્યભરમાં 400 જેટલા શિક્ષકો ઓનલાઈન હાજરી નહીં ભરતા હોવાનું તંત્રનાં ધ્યાને આવ્યું છે. જો કે આ બાબતમાં શહેરી શાળાઓની સરખામણીમાં ગ્રામ્ય શાળાઓની સ્થિતિ સારી છે. દૂર દરાજના ગામડાઓમાં કનેક્ટિવિટીનાં ધાંધિયા અને પૂરતા ઈફ્રાસ્ટ્રચરનાં અભાવ છતાં ઓનલાઈન હાજરી પૂરવામાં ઘણી કાળજી રખાતી હોવાનું જોવા મળી રહ્યું છે.
તો આ તરફ અમદાવાદ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્ય ઓનલાઈન હાજરીમાં અનિયમિતતા માટે વેબસાઈટમાં જ ખામી હોવાનું જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, વેબસાઇટ વારંવાર હેંગ થઈ જવી તેમજ હાજરી પૂરતા સમયે લોડ ન થતી હોવાથી હાજરી ઓનલાઈન હાજરી ભરવામાં નિયમિતતા જળવાતી નથી. શાળાનાં આચાર્યો તરફથી એવી પણ ફરિયાદો સામે આવી છે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યા બાદ વિદ્યાર્થીઓનાં નામ હજુ પણ વેબસાઈટમાં દેખાતા ન હોવાથી ઓનલાઈન હાજરી પૂરી શકાઈ નથી.
એટલું જ નહીં શાળાઓમાં 31 જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોય છે જ્યારે ઓનલાઈન હાજરી માટે 15 જુલાઈ સુધીનો જ સમય આપવામાં આવ્યો છે જે શાળા સંચાલકોને અપૂરતો લાગી રહ્યો છે. મહત્વનું છે કે, નિયમોનાં પાલન માટે જિલ્લા શિક્ષણ તંત્રએ શાળાનાં આચાર્યોને નોટિસ તો આપી દીધી છે. પણ હાજરી ભરવામાં જે મુશ્કેલીઓ શિક્ષકોને પડી રહી છે. તેનું નિવારણ શું? તે પણ એક સૌથી મોટો સવાલ છે.