રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કર્યા બાદ હવે વારસાઇ નોંધ પણ ઓનલાઇન કરી શકાય તેવી સુવિધા શરૂ કરી દીધી છે જેના કારણે હવે નાગરિકોએ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે. પરંતુ ઘેર બેઠાં ઓનલાઇન અરજી અને તેને લગતી તમામ પ્રક્રિયા પૂરી કરીને વારસાઇ નોંધ કરાવી શકાશે.
વારસાઇની કાચી નોંધ બાબતે SMS મોકલવામાં આવશે
અરજદારે જરૂરી તમામ પુરાવાઓ 15 દિવસમાં રજૂ કરવાના
વારસાઇ નોંધ સુવિધા માટે https:/iora.gujarat.gov.in પર અરજી સબમિટ કરવાની રહેશે માત્ર પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલી અરજી જ માન્ય ગણાશે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂરી થયેથી અરજી જે તે તાલુકા કે શહેરમાં ઇ-ધરા કેન્દ્રમાં આગળની પ્રક્રિયા માટે સબમિટ થશે.
અરજદારે જરૂરી તમામ પુરાવાઓ 15 દિવસમાં રજૂ કરવાના
અરજદારે જરૂરી તમામ પુરાવાઓ 15 દિવસમાં રજૂ કરવાના રહે છે અરજદારને ત્યાર બાદ અરજીની તમામ વિગતોની સ્થિતિ અને નિકાલની વિગતો મોબાઇલ પર મળતી રહેશે. સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામનામ ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરી અપલોડ કરવાના રહેશ.
વારસાઇની કાચી નોંધ બાબતે SMS મોકલવામાં આવશે
તથા અરજી સબમિટ કર્યાની તારીખથી મહત્તમ 15 દિવસમાં અસલ દસ્તાવેજો જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે. અરજદાર તથા અરજી મુજબના હક્ક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇની કાચી નોંધ બાબતે SMS મોકલવામાં આવશે.