આજના ડિજિટલ યુગમાં હવે ઘરે બેઠા સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. સરકાર પણ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમારી એક ભૂલ બહુ ભારે પડી શકે છે. જો તમે નેટબેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરો છો તો અન્ય જાણકારીઓની સાથે સાચો IFSC (Indian Financial System Code) નાખવો જરૂરી છે. દરેક બેંકનો IFSC અલગ હોય છે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોવ તો ધ્યાન આપો
આ ભૂલથી થઈ શકે છે નુકસાન
ફંડ ટ્રાન્સફર કરતી વખતે આ ધ્યાન રાખો
IFSCની જરૂર નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT), રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અથવા ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) દ્વારા ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં સૌથી પહેલાં જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટની જાણકારીને બેનિફિશિયરી તરીકે રજિસ્ટર કરવું પડે છે અને પછી તમે આ માધ્યમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકો છો. વ્યક્તિનું બેનિફિશિયરી રજિસ્ટર કરવા માટે તમારે જે તે વ્યક્તિનું નામ, બેંકનું નામ, એકાઉન્ટ નંબર IFSC કોડ સામેલ કરવાનું હોય છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ રેગ્યુલેશન્સ કેસ ઓનલાઇન ફંડ ટ્રાંસફરથી પહેલાં તે માહિતી આપવી ફરજિયાત છે. કેટલાક બેંક બેનિફિશિયરી રજિસ્ટ્રેશનને મેચ પણ કરે છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે યોગ્ય વ્યક્તિને જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. જોકે, બેંકો માટે તે ફરજિયાત નથી.
આઈએફએસસી કોડ ખોટો નાખવાથી થાય છે નુકસાન
સામાન્ય રીતે ખોટો આઈએફએસસી કોડ નાખવાના ચાન્સિસ ઓછાં હોય છે કારણ કે મોટાભાગની બેંક ડ્રોપડાઉન મેન્યૂમાં બેંક અને બ્રાન્ચના નામ વિશે જાણકારીના આધાર પર આઈએફએસસી કોડ ભરવાની સુવિધા આપે છે, પરંતુ કેટલીક બેંક આઈએફએસસી લખવાનો વિકલ્પ આપે છે. એવામાં આઈએફએસસી કોડને લઈને બે પ્રકારની ભૂલોની સંભાવના હોય છે.
ખોટો આઈએફએસસી કોડ સિલેક્ટ કરવા પર
માની લો તમારે દિલ્હીની કોઈ બ્રાન્ચનો આઈએફએસસી કોડ પસંદ કરવાનો છે પરંતુ તમે નોએડા સ્થિત કોઈ બ્રાન્ચના આઈએફએસસી કોડને પસંદ કરી લીધો છે. આ સ્થિતિમાં પણ પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. જોકે, તેના માટે અન્ય જાણકારીઓ સાચી હોવી જોઈએ. હકીકતમાં તમારા દ્વારા અપાયેલા આઈએફએસસી કોડ કોઈ અન્ય બ્રાન્ચનો હશે તો પણ ફંડ ટ્રાન્સફર થઈ જશે.
ખોટી બેંકનો આઈએફએસસી કોડ પસંદ કરવા પર
માની લો કે તમારે બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા છે પરંતુ તે ભૂલથી એસબીઆઈનો કોડ પસંદ કર લીધો. એવી સ્થિતિમાં ફંડ ટ્રાન્સફર એ વાત પર નિર્ભર કરશે કે શું એસબીઆઈમાં પણ મેચિંગ એકાઉન્ટ નંબરનો બેંક એકાઉન્ટ છે કે નહીં. જો મેચિંગ અકાઉન્ટ નંબર છે તો ફંડ ટ્રાન્સફર પૂરું થઈ શકે છે.
જોકે, બે બેંકોમાં એક જ એકાઉન્ટ નંબરથી બેંક એકાઉન્ટ હોવાની સંભાવના બહુ ઓછી હોય છે. એકાઉન્ટ નંબર કોઈ નંબર્સનો એક કોમ્બિનેશન હોય છે. એવામાં સંભવ હોઈ શકે છે કે એક જ એકાઉન્ટ નંબરથી બે અલગ-અલગ બેંકોમાં અકાઉન્ટ હોય.