ઉબર ઈટ્સનાં સીઈઓએ કહ્યું ભારતમાં ઈન્વેસ્ટ કરતા રહીશું
આ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો
ઉબર ઈટ્સે એપ પર રહેલા રેસ્ટોરન્ટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનરને ઝોમેટોનાં પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દીધા છે. કંરનીએ મંગળવારે ઉબરને નુકશાન થઈ રહ્યું હોવાનાં કારણે ફુડ ડિલીવરી બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો છે. ઝોમેટો અને સ્વીગીની સ્પર્ધાનાં કારણે તેમને આ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો.
ઝોમેટો 7 કરોડ યુઝર્સને સર્વિસ આપે છે
કંપની છેલ્લા 5 મહિનાંમાં 2,197 કરોડ રુપિયાનું નુકસાન કરી રહી હતી. ઉબરે ભારતમાં વર્ષ 2017માં ફુડ ડિલીવરી બિઝનેસ શરુ કર્યો હતો. તેનાં પ્લેટફોર્મ પર 41 શહેર 26 હજાર રેસ્ટોરન્ટ લીસ્ટેડ છે. બીજી તરફ ઝોમેટોનાં રેસ્ટોરેન્ટ ડિસ્કવરી અને ફુડ ડિલીવરી પ્લેટફોર્મ પર 24 દેશોનાં 15 લાખ રેસ્ટોરન્ટ છે. કંપની દર મહિને 7 કરોડ યુઝર્સને સર્વિસ આપે છે. ઉલ્લેખનીય છે કે ઉબર ઈટ્સના કર્મચારીઓને ઝોમેટો નહીં રાખે 100 કર્મચારીઓને અન્ય બિઝનેસમાં સિફ્ટ કરશે અથવા બરતરફ કરશે.
ઉબર ઈટ્સનાં સીઈઓએ કહ્યું ભારતમાં ઈન્વેસ્ટ કરતા રહીશું
ઝોમેટો હાલમાં તેનાં સુક્ષ્મ રોકાણકારો પાસેથી 15 કરોડ ડોલર (1065 કરોડ રુ)નું નવું રોકાણ વસુલ્યું છે. સુક્ષ્મ રોકાણકારોએ ઝોમેટોની 300 કરોડ ડોલર વેલ્યુએશન સમજીને રોકાણ કર્યું છે. ઝોમેટોના સીઈઓ દિપિન્દર ગોયલે જણાવ્યું હતું કે 500થી વધારે શહેરોમાં ફુડ ડિલીવરી કરી કરવાનાં બિઝનેસમાં અગ્રણી હોવાનો ગર્વ છે. ઉબર ઈટ્સને ખરીદવાથી અમારી સ્થિતિ વધારે મજબૂત બનશે. બીજી તરફ ઉબરનાં સીઈઓએ દારા ખોસરોશાહીએ જણાવ્યું હતું કે ભારત એક મહત્વનું માર્કેટ છે. તેના બિઝનેસ રાઈડને જોઈને રોકાણ ચાલું રાખીશું.