કોરોના કાળમાં સંક્રમણથી બચવા માટે ભલે ઓનલાઈન પરીક્ષા કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, પણ હાલમાં દેશની કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ તરફથી ઓનલાઈન જ પરીક્ષા આયોજીત થઈ રહી છે.
UGCને લીધો મોટો નિર્ણય
એમફીલ અને પીએચડીના વાયવા ઓનલાઈન થશે
મોટા ભાગની પરીક્ષા થઈ રહી છે ઓનલાઈન
કોરોના કાળમાં સંક્રમણથી બચવા માટે ભલે ઓનલાઈન પરીક્ષા કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, પણ હાલમાં દેશની કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ તરફથી ઓનલાઈન જ પરીક્ષા આયોજીત થઈ રહી છે. તેમાં સૌથી ચોંકાવનારુ પગલું મૌખિક પરીક્ષા એટલે કે, વાયવા પણ હવે ઓનલાઈન થશે. જો કે, તેની સાથે જોડાયેલી ફરિયાદ બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશનેે સ્પષ્ટ કર્યું છે કે, મૌખિક પરીક્ષાઓ ઓનલાઈન જ આયોજીત કરવામાં આવશે, પણ સંસ્થાઓ સાથે જોડાયેલ રેકોર્ડને સુરક્ષિત રાખવો પડશે.
UGC સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવી આ વાત
યુજીસી સાથે જોડાયેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે આ પ્રકારની ફરિયાદો મળી હતી કે, પીએચડી અને એમફીલની મૌખિક પરીક્ષા ઓનલાઈન આયોજન દરમિયાન નિશ્ચિત માપદંડો સાથે પુરી કરી થઈ શકતી નથી. સાથે જ તેને ઓફલાઈન આયોજીત કરવાની માગ કરવામાં આવી હતી. જો કે, યુજીસીએ કહ્યું કે, તેને ઓનલાઈન કેવી રીતે આયોજીતત કરી શકાય છે, તેનો રેકોર્ડ પણ સુરક્ષિત રાખવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે, યુજીસીને આવી ફરિયાદના આધારે યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી પરીક્ષાઓ સંબંધિત લોકો સાથે વાત કરીને વીડીયોની માગ કરી શકે છે.
શોધકર્તાઓને પીએચડીની ઓનલાઈન પરીક્ષા કરાવાની માગ
ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગે પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓને પીએચડીની પરીક્ષા ઓનલાઈન પરીક્ષા કરાવાની માગ કરી હતી. શોધકર્તાઓએ આ સંબંધમાં રસાયણ વિજ્ઞાન વિભાગના વિભાગાધ્યક્ષને પત્ર લખ્યો હતો. જેમાં શોધકર્તાઓએ કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ કેમ્પ્સની બહાર છે. તે સમેય અલગ અલગ રાજ્યોમાં હતા. સાથે જ મોટા ભાગના વિદ્યાર્થીઓ કોરોનાના નવા વેરિએન્ટના કારણે ઓફલાઈન પરીક્ષા આપવામાં અસહજતા અનુભવી રહ્યા છે. ત્યારે આવા સમયે પરીક્ષાને ઓનલાઈન આયોજીત કરવામાં આવે અથવા તો એક અઠવાડીયું સ્થગિત કરી દેવામા આવે. આ પત્રમાં 44 સંશોધન કર્તાઓએ હસ્તાક્ષર કર્યા હતા.