રાજકોટ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડતા સામાન્ય જનતાને હાશકારો થયો છે, પણ આ ભાવ ઘટાડાથી સામાન્ય ગૃહિણીઓના બજેટને કોઈ રાહત મળે તેવી સંભાવના નથી. પણ હવે આસમાને પહોંચેલી ડુંગળીના ભાવ ઘટશે તેવી આશા જાગી છે. રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણના ભાવમાં રૂા. 100નો ઘટાડો થયો છે.
રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણનો ભાવ 650થી 750 સુધી
માર્કેટમાં હાલ ડુંગળી 80થી 90 રૂપિયામાં કિલો
રાજકોટ યાર્ડમાં ડુંગળીના 1200 કટ્ટાની દરરોજ આવક
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાને ડુંગળી રડાવી રહી હતી. જોકે હવે ડુંગળીના ભાવમાં સામાન્ય રાહત મળી છે. રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.
સામાન્ય જનતાનુ શું
રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણનો ભાવ 650થી 750 સુધી બોલાઈ રહ્યો છે. આ નજીવા ભાવ ઘટાડાથી પ્રજાને થોડી રાહત મળી છે. માર્કેટમાં હાલ ડુંગળી 80થી 90 રૂપિયામાં કિલો મળી રહી છે. ત્યારે આગામી સમયમાં ડુંગળીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.
રાજકોટમાં કેટલી છે ડુંગળીની આવક
રાજકોટ યાર્ડમાં ડુંગળીના 1200 કટ્ટાની દરરોજ આવક થઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે.
રાજકોટ યાર્ડમાં મળશે બેઠક
ડુંગરીના વેપારીઓ અને તંત્ર વચ્ચે આજે બેઠક યોજવામાં આવી છે જેમાં ડુંગરીના ભાવ વધારાને લઇ ચર્ચા થશે. બપોરે 2 કલાક આસપાસ આ બેઠક મળશે.