પેટ્રોલ અને ડીઝલની આકાશે આંબતી કિંમતો બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે.
નવા 3 કૃષિ કાયદા મુજબ કંપનીઓને ડુંગળી બટાકા સહિત જરુરી વસ્તુઓની સંગ્રહખોરી પર જેલ નહીં થાય
ડુંગળી 65થી 75 રુપિયા કિલો વેચાઈ રહી છે
હજું વધી શકે છે કિંમત
ડુંગળી 65થી 75 રુપિયા કિલો વેચાઈ રહી છે
દિલ્હીમાં જથ્થા બંધ બજારમાં ડુંગળી 50 રુપિયા કિલો વેચાઈ રહી છે. જ્યારે રિટેલ માર્કેટમાં 65થી 75 રુપિયા કિલોએ પહોંચી ગઈ છે. ગત દોઢ મહિનામાં ડુંગળીની કિંમત બે ગણી થઈ ગઈ છે. એશિયાની સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં જ ડુંગળીનો ભાવ 2 દિવસમાં 1હજાર રુપિયા પ્રતિ ક્વિંટન મોંઘુ થઈ ગયો છે.
ડુંગળી મોંઘી થવા પાછળ આ છે સૌથી મહત્વનું કારણ
મીડિયાના સમાચાર મુજબ લાસલગામમાં બજારમાં ડુંગળીના જથ્થા બંધ ભાવની પાછળ 2 દિવસમાં 970 રુપિયા પ્રતિ ક્વિંટન વધી 4200થી 45 00 રુપિયા પ્રતિ ક્વિંટન પહોંચી ગઈ છે. નાસિકના લાસલગામથી દેશભરમાં ડુંગળી મોકલવામાં આવે છે. કેટલાક સમય પહેલા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાના કારણે તથા કરા પડવાના કારણે ડુંગળીના પાકને નુકશાન થયું છે. જેનાથી જથ્થા બંધ બજારમાં ડુંગળીની આવક ઓછી થઈ ગઈ છે. ડુંગળી મોંઘી થવા પાછળ આને સૌથી મહત્વનું કારણ માનવામાં આવી રહ્યુ છે.
હજું વધી શકે છે કિંમત
શનિવારે લાસલગાંમાં ડુંગળીના ઔસત ભાવ 4250-4551 પ્રતિ ક્વિંટલની નજીક હતો. ખરીફ વેરાયટીની ડુંગળી માટે આનો ભાવ 3870 રુપિયા ક્વિંટલ દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યાપારીના જણાવ્યાનુંસાર વરસાદના કારણે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. 20 ફેબ્રુઆરીએ લાસલગામ મંડીમાં ડુંગળીનો ભાવ 3500 -4500 રુપિયા પ્રતિ ક્વિંટલના હિસાબે વેચાઈ રહી હતી. આવનાા દિવસોમાં ડુંગળી હજું મોંઘી થવાની શક્યતા છે. અનેક વેપારીઓએ જણાવ્યું કે ખરીફ પાકની આપૂર્તિમાં ઘટાડો નોંધાયો છે.
નવા 3 કૃષિ કાયદા મુજબ કંપનીઓને ડુંગળી બટાકા સહિત જરુરી વસ્તુઓની સંગ્રહખોરી પર જેલ નહીં થાય
ડુંગળીના ભાવમાં એવા સમયમાં વધી રહ્યા છે. જ્યારે દેશમાં કૃષિ કાયદાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદામાં જરુરી વસ્તુ અધિનિયમને સંસદમાં સંશોધિત કર્યો હતો. ગત વર્ષ જરુરી વસ્તુ અધિનિયમ 1955ના દાયરામાંથી બટાકા, ડુંગળી, દાળ- ચોખા, ખાધ્ય તેલ -તિલહન જેવી વસ્તુઓને હટાવી દેવામાં આવી છે. એટલે કે આ વસ્તુઓના સંગ્રહની સીમા હટાવી દેવામાં આવી છે. હવે આ વસ્તુઓના વધારે સંગ્રહખોરી કરવા પર જેલ નહીં થઈ શકે. કંપનીઓ અથવા અનેક વ્યપારીઓ આ વસ્તુઓની કોઈ પણ સીમા સુધી સંગ્રહખોરી કરવા સ્વતંત્ર રહેશે.