મોંઘવારી દિવસેને દિવસે માઝા મૂકી રહી છે. સામાન્ય માણસને મોંઘવારી દિવસને દિવસે વધુ બેહાલ કરી રહી છે. ડુંગળીના ભાવ આસમાને છે ત્યારે શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે અને હવે તો દહીં-દૂધના ભાવ પણ ગજવાને ખાલી કરી રહ્યા છે ત્યારે ફળોની તો વાત જ ન કરાય એવી હાલત છે.
ડુંગળી અને શાકભાજી બાદ દૂધ-દહીંના ભાવમાં ભડકો
અમૂલે દૂધ બાદ હવે દહીં પણ મોંઘુ કર્યુ
ફળની તો વાત જ શું કરવી!
ડુંગળી દુર્લભ બની
ડુંગળી તો ગરીબોની કસ્તુરી ખાલી કહેવા પુરતી જ રહી છે બાકી હવે તે અમીરોનું ખાણું છે જ્યારે બીજા શાકભાડજીના ભાવ પણ વધી રહયા છે. શિયાળો આવે એટલે આમતો લીલોતરી શાકની સિઝન આવી ગણાય પણ કમોસમી વરસાદ અને મોંઘવારીએ દરરોજની ખાણીપીણીની વસ્તુઓના ભાવ એટલા વધારી દીધા છે કે સામાન્ય માણસે બે વાર વિચાર કરવો પડે કે હવે શું ખાવુ? આ કશ્મકસમાં દૂધના ભાવ પણ સતત વધી રહ્યા છે. હવે તો જમ્યા પછી જે છાશ અને દહીં નસીબ થતા હતા તે પણ ગાયબ થઈ જાય તો નવાઈ નહીં
દહીં-દૂધ, છાશના ભાવમાં ભડકો
અમૂલડેરી દ્વારા આગામી 11મી જુલાઇનાં રોજ દૂધનાં ખરીદભાવમાં કિલો ફેટે રૂ. 30નો વધારો કર્યો હતો. જેથી દૂધનો જૂનો ખરીદ ભાવ કિલોફેટે 660 હતો તે વધીને રૂ.690 થયો છે. આથી ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાની 1200 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા છ લાખ પશુપાલકોને ફાયદો થશે. જ્યારે બીજી બાજુ અમૂલડેરી દ્વારા અમૂલ પશુદાણમાં 11મી જુલાઇથી કિલોએ સવા રૂપિયાનો ભાવવધારો પણ કરાયો છે. જો કે, છેલ્લા ત્રણ માસમાં દૂધના ખરીદ ભાવમાં પાંચમીવાર ભાવવધારો કરાયો છે.