ડુંગળીની કિંમતમાં ફરી એક વખત ૧પ ટકાનો વધારો થઇ શકે છે. અહેવાલો અનુસાર તુર્કીએ ભારતને ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને તેથી ડુંગળી ફરી એક વખત લોકોને રડાવશે એવા નિર્દેશો મળી રહ્યા છે. ડુંગળીની કિંમતમાં ફરીથી ઉછાળો આવી શકે છે.
માર્કેટ સૂત્રો અનુસાર ડુંગળીના ભાવમાં ફરી ૧પ ટકા ઉછાળો આવશે
ડુંગળીની કિંમતમાં ફરીથી ઉછાળો આવી શકે છે
હાલ ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ.૧ર૦થી ૧૪૦ રૂપિયા છે
આ દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય ભંડારો પર વિદેશની આયાત કરવામાં આવેલ ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે. દિલ્હીના કેન્દ્રીય ભંડારમાં લોકોએ લાઇન લગાવીને ડુંગળી ખરીદી હતી.
આજથી દિલ્હીમાં મધર ડેરીના સફર સ્ટોર પર ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવશે.
દિલ્હીમાં હાલ ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ.૧ર૦થી ૧૪૦ ચાલે છે. દિલ્હીમાં પ૦ ટકા આયાતી ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે. દેશમાં કુલ ૭૯૦ ટન ડુંગળીની આયાત કરવામાં આવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તુર્કીમાંથી ડુંગળીની બલ્ક નિકાસ થતાં ત્યાં ભાવ વધી ગયા છે તેથી તેમણે ડુંગળીની ભારતને નિકાસ બંધ કરી છે.