મહેસાણાના હિંગળાજ પુરા ગામે ONGC દ્વારા સર્વે બાદ ખુલ્લા છોડી દેવાયેલા ખાડામાં શ્વાન ગરકાવ થયો છે. ગ્રામજનો દ્વારા શ્વાનને બહાર કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવી છે. તેલની શોધ માટે ONGCએ ઉંડા ખાડા ખોદ્યા હતાં.
ઠેક-ઠેકાણે 400 ફૂટ ઉંડા ખાડાથી ગ્રામજનોમાં રોષ જાગ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ પણ ખાડા ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતાં. આ ખાડામાં કોઇ બાળક પણ પડી શકે છે.
અગાઉ કલેક્ટરે ખુલ્લા ખાડા પુરવા માટે આદેશ કર્યા હતાં. કલેક્ટરના આદેશ બાદ પણ ખાડા જેમના-તેમ જોવા મળ્યા છે.