કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર વિવાદિત નિવેદનો આપવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. આજરોજ ભોપાલ ખાતે યોજાયેલ સભાને સંબોધિત કરતા સિદ્ધુએ પ્રધાનમંત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે, મચ્છરને કપડા પહેરાવવા, હાથીને ખોળામાં ઝુલાવવો અને તમારી પાસે સાચુ બોલાવવું અસંભવ છે નરેન્દ્ર મોદી
કૉંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ ફરી એકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલા કરતા નજરે પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુલક્ષીને તેમણે ટ્વીટ કરી હતી.
Congress leader Navjot Singh Sidhu in Bhopal: Macchar ko kapde pehenana, haathi ko godh mein jhulana aur tumse sach bulwana asambhav hai Narendra Modi #LokSabhaElections2019pic.twitter.com/3LduG1AU3s
જેમાં સિદ્ધુએ લખ્યું કે, તમારો એક ખોટા મતથી તમારું બાળકો ચાવાળો, પકોડાવાળો અથવા ચોકીદાર બનાવી શકે છે. આ રીતે તેમણે વડાપ્રધાન મોદી પર સીધો જ શાબ્દિક પ્રહાર કર્યો હતો.
एक गलत वोट आपके बच्चों को चायवाला, पकौड़ेवाला या चौकीदार बना सकता है|
Better prevent and prepare, rather then repent and repair...
ત્યારબાદ, તેણે અંગ્રેજીમાં ટ્વીટ કર્યું હતું કે, પસ્તાવો અને સમાધાન મામલે વિચારવુ વધારે સારું છે કે આપણે જ સાવધાન થઇ જઇ અને આગળની તૈયારીઓ કરી લઇએ. આ સાથે જ ભાજપની બીજી વખત સત્તામાં આવવા અંગે તથા લોકોને છૂપાયેલ શબ્દોમાં ભાજપને વોટ નહીં આપવા અંગે અપીલ કરી હતી.