બ્રેકિંગ ન્યુઝ
VTV / One will cry after reading the story of co-pilot Anju who died in Nepal crash, her husband also died in the crash
Last Updated: 06:57 PM, 15 January 2023
ADVERTISEMENT
નેપાલમાં રવિવારે એક દર્દનાક વિમાન અકસ્માતમાં થયો હતો. લેન્ડીંગ પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું. વિમાનમાં 68 યાત્રીઓ સાથે કુલ 72 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 5 ભારતીયનો પણ સમાવેશ કરવામાં આવે છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનની કો-પાયલટ અંજૂ કેપ્ટન બનવાની હતી. જે માટે તે સીનિયર પાયલટ ટ્રેનર કમલ કેસીની સાથે ઉડાન પર ગઈ હતી.
ફલાઈંમગ કેપ્ટન બનવા માટે ઓછામાં ઓછા 100 કલાક સુધીનો વિમાન ઉડાડવાનો અનુભવ હોવો જોઈએ. કો-પાયલટ અંજૂએ આ પહેલા નેપાલનાં લગભગ તમામ વિમાન સ્થળો પર સફળતાપૂર્વક લેન્ડીંગ કરાઈ હતી. આજે પોખા માટે ઉડાન ભરતી વખતે કેપ્ટન કેસીએ મુખ્ય પાયલટની જગ્યા પર અંજૂને બેસાડી હતી. આજે સફળ લેન્ડિંગ બાદ અંજૂ મુખ્ય પાયલટનું લાયસન્સ મળવાનું હતું. પરંતું દુર્ભાગ્ય પૂર્ણ કે તે 10 સેકન્ડ દૂર જ બધા સપના અને તેની ઈચ્છાઓ ધૂમાડામાં ભળી ગઈ.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ કેપ્ટન કમલ કેસીને પાયલટને 35 વર્ષનો અનુભવ હતો. કેસીએ પહેલા કેટલાય પાયલટને ટ્રેનિંગ આપી છે. તેમણે તૈયાર કરેલ ટ્રેન્ડ પાયલટ આજે સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. નેપાળમાં વિમાન અને હેલીકોપ્ટરનાં અકસ્માતની સંખ્યાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 104 અકસ્માત થયા છે. જેમં 96 યાત્રી વિમાન અને 8 હેલિકોપ્ટર દુર્ઘટનાનો સમાવેશ થાય છે.
Nepal live plan crash https://t.co/4rb8nTJpQu pic.twitter.com/UOOaF2P0KV
— Gaurav kochar (@gaurav_kochar) January 15, 2023
16 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં પતિએ પણ જીવ ગુમાવ્યો હતો
આ અકસ્માતમાં એક દુઃખદ સંયોગ એ છે કે કો-પાઈલટ અંજુના પતિએ પણ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો હતો. તેમના પતિ દીપક પોખરેલ પણ યેતી એરલાઈન્સમાં કો-પાઈલટ તરીકે તૈનાત હતા. અંજુના પતિ 16 વર્ષ પહેલા એટલે કે 21 જૂન 2006ના રોજ યતિ એરલાઈન્સના જે વિમાનનો અકસ્માત થયો હતો તેમાં અંજૂના પતિ કો-પાઈલટ હતા. નેપાળગંજથી સુખેત થઈ જુમ્લા જતી વખતે જતી વખતે યેતી એરલાઇન્સનું 9N AEQ એરક્રાફ્ટનો અકસ્માત થયો હતો. જેમાં 6 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરના મોત થયા હતા.
ATR has been informed that an accident occurred in Nepal involving an ATR 72-500 aircraft. Our thoughts are with the affected individuals. The ATR specialists are fully engaged to support both the investigation & the customer: ATR Aircraft pic.twitter.com/qWBK9SFJzw
— ANI (@ANI) January 15, 2023
કાઠમંડુથી પોખરા જઈ રહેલું પ્લેન ક્રેશ થયું
યતિ એરલાઇન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું કે લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ ક્રેશ થઈ ગયું. જાણવા મળતી માહિતી મુજબ આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. આ અકસ્માત સવારે 11.10 વાગ્યે થયો હતો.
દુર્ઘટનાનું કારણ હવામાન નહીં પરંતું ટેકનિકલ ખામીને કારણે થઈઃએરપોર્ટ ઓર્થોરીટી
નેપાળની એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્લેન ક્રેશ હવામાનને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીના કારણે થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે એરક્રાફ્ટના પાયલોટે લેન્ડિંગ માટે એટીસી પાસેથી પરવાનગી લીધી હતી. પોખરા એટીસીને પણ ઉતરાણ માટે ઓકે કહેવામાં આવ્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી, તેથી એવું ન કહી શકાય કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હતી.
સરકારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
આ દર્દનાક અકસ્માત બાદ નેપાળ સરકારે કેબિનેટની બેઠક બાદ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ, નેપાળ સરકારે વિમાન દુર્ઘટનાને કારણે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. સરકારે અકસ્માતની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની પણ રચના કરી છે. વડા પ્રધાન પ્રચંડે પોતે બચાવ કામગીરીની દેખરેખ માટે પોખરા જવાની જાહેરાત કરી હતી, પરંતુ સુરક્ષાની સમીક્ષા કરવા ગયેલું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે અધવચ્ચે જ પાછું ફર્યું હતું. આ પછી પીએમ પ્રચંડની પોખરા મુલાકાત રદ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.