મહારાષ્ટ્રમાં મુંબઈની સાથે પુણે અને અમરાવતી જેવા જિલ્લાઓમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને રાજ્ય સરકાર જાગૃત થઇ છે અને કડક નિર્ણય લેતા અમરાવતીમાં લોકડાઉનનું એલાન કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય
અમરાવતી જિલ્લામાં અઠવાડિયાનું લૉકડાઉન
સોમવાર સાંજથી એક અઠવાડિયા માટે લાગુ રહેશે લોકડાઉન
ઉલ્લેખનીય છે કે, પુણેમાં શનિવારે 849 અને અમરાવતીમાં 727 કેસ નોંધાયા હતા. કેબિનેટ મંત્રી યશોમતિ ઠાકુરે અમરાવતી જિલ્લામાં 1 અઠવાડિયાનું લોકડાઉનનું એલાન કર્યું છે.
સોમવાર સાંજથી એક અઠવાડિયા માટે લાગુ રહેશે લોકડાઉન
લોકડાઉન સોમવાર સાંજથી એક અઠવાડિયા માટે લાગુ રહેશે. આવશ્યક સેવાઓ સિવાયની દરેક વસ્તુ બંધ રહેશે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે જો લોકો તેના પછીના નિયમોનું પાલન નહીં કરે તો પણ લોકડાઉન વધારવામાં આવશે. આ કડક નિર્ણય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે લોકોને કોરોનાથી બચવા માટે બનાવેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
પુણેમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત
કોરોનાના વધી રહેલા કેસને પગલે પુણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધીઓને મંજૂરી મળશે નહીં. આ સિવાય સ્કૂલ, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાનો 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય સીનિયર અધિકારીઓની ખાસ બેઠક બાદ આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે કોરોનાના 6281 નવા મામલા
આપને જણાવી દઇએ કે, શનિવારે કોરોનાના 6281 નવા મામલા નોંધાયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શહેરમાં લોકડાઉન લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોકડાઉન ફરીવાર લગાવાઇ શકે છે.