જમ્મુ-કશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોટી અથડામણ સર્જાઇ છે. જેમાં એક આતંકીને ઠાર કરી દેવાયો છે. જો કે, ઓપરેશન હજુ પણ શરૂ છે.
ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ
આતંકીઓ સાથેની અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવાયો
આ વિસ્તારમાં હજુ પણ સુરક્ષાદળો દ્વારા ઓપરેશન શરૂ
જમ્મુ-કશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવાયો છે. જમ્મુ-કશ્મીર પોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન શરૂ છે.
#UPDATE | One terrorist has been killed in the encounter. Operation in progress. Further details awaited: Police
એવું કહેવાઇ રહ્યું છે કે, આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. જમ્મુ-કશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આ અથડામણ શરૂ થઇ છે. પોલીસ અને સુરક્ષા દળો આતંકીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યાં છે.
નાગરિકો, સુરક્ષા દળો પર હુમલાને સાંખી લેવામાં નહીં આવે: DGP
આ એન્કાઉન્ટર પહેલાં જમ્મુ-કશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) દિલબાગ સિંહે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, નાગરિકો અને સુરક્ષા દળો પરના હુમલાને સહન નહીં કરી લેવાય અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, 'આ હુમલા પડોશી દેશ તરફથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યાં છે, જ્યાં કેટલાંક લોકો ઘાટીમાં શાંતિને પચાવી શકતા નથી.'
— Kashmir Zone Police (@KashmirPolice) April 6, 2022
સિંહે કહ્યું કે, "આ હુમલાઓ નિંદનીય છે અને તમામ ક્ષેત્ર દ્વારા તેની નિંદા કરવામાં આવી રહી છે. આ કૃત્યો અમાનવીય છે અને તેને કોઈ પણ કિંમતે સહન નહીં કરવામાં આવે." સિંહે સોમવારના શહેર મૈસુમામાં આ આતંકી હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના હેડ કોન્સ્ટેબલ વિશાલ કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજ્યો હતો.