ભારત દેશને સંતોની ભૂમી કહેવામાં આવે છે. ભારતમાં ઘણાં ચમત્કારી મંદિરો છે. જેના વિશે તમે સાંભળ્યું હશે. આજે અમે તમને જણાવશું એવા'જ એક અદભૂત મંદિર વિશે જ્યાં વર્ષોથી માછલીના હાડકાંની પૂજા કરવામાં આવે છે. જે મંદિર મત્સ્ય માતાના નામે જાણીતું છે.
આ મંદિર ગુજરાતમાં વલસાડના મગોદ ડુંગરી ગામમાં છે. કહેવાય છે કે આ મંદિર માછીમાર સમાજ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. જ્યાં આજે પણ દરિયામાં માછલીઓ પકડવા જતાં પહેલાં માછીમારો માતાજીના આશીવાર્દ લેવા આવે છે.
આ મંદિરનો ઇતિહાસ લગભગ 300 વર્ષ જૂનો છે. માન્યતાઓ મુજબ અહીંના એક માછીમારને રાત્રે એક સપનું આવ્યું કે દરિયા કિનારે એક મોટી માછલી આવી છે. સપનામાં માછીમારને મૃત અવસ્થામાં માછલી દરિયા કિનારે દેવીના સ્વરૂપમાં જોવા મળી.
બીજા દિવસે તે માછીમાર દરિયા કિનારે પહોચ્યો તો સપના પ્રમાણે મૃત અવસ્થામાં જ માછલી જોવા મળી. માછીમારે આ સપનાની વાત બીજા લોકોને કરી તો બધાએ આ માછલીને મત્સ્ય માતાનો અવતાર માની લીધો અને મત્સ્ય માતાના નામથી ગામમાં મંદિર બંધાવી સ્થાપના કરી.
ત્યારબાદ અમુક લોકોએ તે માછીમારની વાતને ખોટી જાહેર કરી અને મંદિરનો વિરોધ કર્યો તો સમગ્ર ગામમાં ભયંકર બિમારી ફેલાઇ ગઇ અને લોકો મરવા લાગ્યા. જ્યારે તે માછીમારે મત્સ્ચ માતાજીની ક્ષમા માગવા કહ્યું. માછીમારની વાત માની ગામે માતાજીની ક્ષમા માગી તો બિમારી નાબુદ થઇ ગઇ.
માતાજીનો આવો ચમત્કાર જોઇ આખા ગામનું માથુ માતાજીના ચરણોમાં નમી ગયું અને ત્યારથી સમગ્ર માછીમાર સમાજે માતાજીની પૂજા કરવાની ચાલુ કરી જ્યારે આજે પણ મગોદ ડુંગરી ગામમાં માછલીનાં હાડકાંની પૂજા થાય છે.