શ્રધ્ધા ખૂબ મોટી વસ્તું છે. જો મનમાં શ્રધ્ધા હોય વિશ્વાસ હોય ભગવાન પ્રત્યે સાચી નિષ્ઠા હોય તો દુનિયાનું એવું કોમ નથી જે ન થઇ શકે. ભારતની સંસ્કૃતિ ભારતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે.
સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત એવો દેશ છે જે અનેકતામાં એકતાની અવધારણાને સાકાર કરે છે. ભારત દેશ ઘણા ચમત્કારોથી ભરેલો છે. અહીં ઘણા એવા મંદિરો છે જે આશ્ચર્યજનક છે. જેમાં ઘણા રહસ્યની ખબર આજસુધી નથી પડી.
આજે અમે તમને જણાવશું એક એવા મંદિર વિશે જેના વિશે સાંભળી તમને પણ વિશ્વાસ નહીં થાય. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં મૃત વ્યક્તિ પણ જીવિત થાય છે. આ ઉપરાંત આ મંદિર ઘણા ચમત્કારો માટે પ્રસિધ્ધ છે. આ મંદિર ઉત્તરાખંડના દેહરાદૂનથી 128 કિલોમીટર દૂર લાખામંડળ નામની જગ્યાએ આવેલું છે.
પ્રકૃતિના ખોળે આવેલું આ મંદિર ભગવાન શિવનું છે. અહીં ભગવાન શંકરની પ્રાચીન મૂર્તિ છે. પ્રાચીન મંદિરોમાં આ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની માન્યતાઓ મુજબ અહીં ભગવાન શંકર સાક્ષાત પ્રગટ થયા હતા.