હિંમતનગરમાં હાજીપુર નજીક અજાણ્યા વ્યક્તિના મળેલા મૃતદેહોનો ભેદ ઉકોલવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. જેમાં તલોદના સાગપુર ગામના જીતેન્દ્ર પરમારની પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. દેવ માત્ર ધડકન ફિલ્મમાં નથી હોતો રિયલ જિંદગીમાં પણ હોય છે. આવા લોકો પ્રેમિકાને સુખી રહેવા દેતા નથી અને ખુદ લગ્ન કરી સુખી થતા નથી. તેના કારણે ઘણી વખત ખૂની ખેલની ઘટના સામે આવે છે તેનો આ દાખલો છે.
હાજીપુર નજીક પસાર થતી કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો
હત્યાનો ભેદ ખુલ્યો અને ત્રણ શખ્સની ધરપકડ
પ્રેમ સંબંધમાં હત્યા થઈ હતી
સાબરકાંઠાના હિંમતનગરમાં હાજીપુર નજીક પસાર થતી કેનાલમાંથી બે દિવસ પહેલા અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા યુવકના મૃત્યુ પાછળ હત્યા થઇ હોવાના પુરાવા મળતા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાજીપુર નજીક પસાર થઈ રહેલી આ કેનાલમાં યુવકની લાશ પડી હતી. પહેલી નજરમાં લોકોને એવું લાગ્યું કે અકસ્માત છે પરંતુ પોલીસે ઉંડી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ અકસ્માત નહીં પણ હત્યા છે. હત્યારાએ મૃતકની હત્યા કરી લાશને અહીં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું.
મૃતકની ઓળખ થઈ
પોલીસે પુરા મામલે તપાસ તેજ કરી હતી. સ્થાનિક લોકોની પૂછપરછમાં એક વિગત સામે આવી કે મૃતક તલોદ તાલુકાના સકલપુર ગામ રહેવાસી છે અને જીતેન્દ્ર પરમાર હોવાનું સામે આવ્યું હતું. જીતેન્દ્ર પરમાર એક પરિણીત પુરૂષ હતો. અચાનક જીતેન્દ્ર પરમારની હત્યા થતા પરમાર પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે.
હત્યાનો ભેદ ખુલ્યો અને ત્રણ શખ્સની ધરપકડ
ત્રણેય શખ્સોએ જીતેન્દ્ર પરમારની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને કેનાલ નજીક ફેંકી દીધી હતી. પોલીસે એક દિવસમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને ત્રણેય શખ્સને દબોચી લીધા હતા. કિશનસિંહ બાલાજી મકવાણા(રહે,નનાનપુર તાલુકો પ્રાંતિજ), કાળુસિંહ મોતીસિંહ મકવાણા(રહે,વજાપુર દલપુર તાલુકો પ્રાંતિજ) અને અજયસિંહ દિલુંસિંહ મકવાણા(રહે,અમીનપુર તાલુકો પ્રાંતિજ) આ ત્રણે પ્રાતિજ તાલુકાના વતની છે. પ્રાંતિજના અલગ અલગ ગામમાં રહે છે. પુરા પ્લાન પમાણે હત્યાને અંજામ આપ્યો હતો.
પ્રેમ સંબંધમાં હત્યા થઈ હતી
સમગ્ર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જીતેન્દ્ર પરમાર એક યુવતીને ઈશ્ક કરતો હતો. આ યુવતીના લગ્ન થઈ જતા તે સાસરે જતી રહી હતી. પ્રેમિકા જીતેન્દ્રને એવું કહેતી હતી કે તું મને ભૂલી જા, હવે મારા લગ્ન થઈ ગયા છે, મારો પણ સુખી સંસાર છે અને તારો પણ સંસાર છે.
જ્યારે મૃતક જીતેન્દ્ર આ વાત માનવા તૈયાર ન હતો. તે વાંરવાર દબાણ કરીને યુવતીને સંબંધ રાખવાનું કહેતો હતો. જીતેન્દ્રના ત્રાસથી કંટાળીને યુવતીએ તેના પતિને વાત કરી. પત્નીની પ્રેમ કહાની જાણી પતિએ બે સંબંધીની મદદ લઈ જીતેન્દ્રની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જીતેન્દ્રની પૂર્વ પ્રેમિકાએ જીતેન્દ્રને કોલ કર્યો અને જણાવ્યું કે આજે રાત્રે આપણે મળીશું. તું જંગલમાં આવજે.
જીતેન્દ્ર કંઈ બોલે તે પહેલા જ તેના પર હુમલો કર્યો
જીતેન્દ્રને એવું હતું કે પ્રેમીકા માની ગઈ પરંતુ જંગલમાં જયારે મળવા ગયો ત્યારે પ્રેમિકાનો પતિ અને બે શખ્સ જોવા મળ્યા. જીતેન્દ્ર કંઈ બોલે તે પહેલા જ તેના પર હુમલો કર્યો. ગળુ દબાવી જીતેન્દ્રની હત્યા કરી નાખી. બાદમાં પુરાવા નાશ કરવા માટે લાશને કેનાલ નજીક ફેંકી દીધી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે યુવતીના પતિ કિશનસિંહ મકવાણા સહિત અન્ય બે શખ્સની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. અહીં પૂર્વ પ્રેમીની જિદને
કારણે એક હત્યાની ઘટના સામે આવી છે. ત્રણેયની દિવાળી જેલમાં જાય તેવી ઘટના સામે આવી છે.