મહારાષ્ટ્રમાં દર કલાકમાં 2 હજાર નવા કેસ તો દર 3 મિનિટ પર આ વાયરસથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં દર કલાકમાં 2 હજાર નવા કેસ
દર 3 મિનિટ પર આ વાયરસથી એક વ્યક્તિનું મોત
મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર અત્યાર સુધી કેસની સંખ્યા પર નથી જોવા મળી
દર 3 મિનિટ પર આ વાયરસથી એક વ્યક્તિનું મોત
કોરોનાથી સૌથી વધારે પીડિત રાજ્ય મહારાષ્ટ્રમાં કહેર ચાલું છે. સ્થિતિ એ છે કે રાજ્યમાં દર કલાકમાં 2 હજાર નવા કેસ મળી રહ્યા છે. આંકડાથી જાણવા મળે છે કે 2859 લોકો દર મિનિટે કોરોનાના સંપર્કમાં આવી રહ્યા છે અને એટલું જ નહીં દર 3 મિનિટ પર આ વાયરસથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દર રોજ કોરોનાના રેકોર્ડ મામલા આવી રહ્યા છે. રવિવારે કોરોનાના 68 હજાર 631 નવા કેસ નોંધાયા છે.
આ પહેલી વાર 1 દિવસમાં કોરોનાના આટલા કેસ આવ્યા
આ પહેલી વાર છે જ્યારે રાજ્યમાં 1 દિવસની અંદર કોરોનાના આટલા મામલા આવ્યા હોય. નવા મામલા બાદ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 38 લાખ 39 હજાર 338 મામલા આવી ચૂક્યા છે. એટલું જ નહીં રવિવારે રાજ્યમાં રિકોર્ડ બ્રેક 503 લોકોના મોત થયા છે. જે બાદ કોરોનાથી મરનારાની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. નવા મામલા 8 હજાર 468 કેસ મુંબઈના છે. એકલા મુંબઈમાં જ અત્યાર સુધી કોરોનાથી 12 હજાર 354 લોકોના મોત થયા છે. જેમાં 53 મોત રવિવારે થયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલમાં મિની લોકડાઉન ચાલૂ છે. જેમાં તમામ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જો કે આની અસર અત્યાર સુધી નથી જોવા મળી. રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન, કલમ 144 લાગૂ છે.
કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ કથળી ગઈ
મહારાષ્ટ્રમાં કોરોનાથી વધતા કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ કથળી ગઈ છે. રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત છે. આ દરમિયાન ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના માધ્યમથી રાજ્યમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલેન્ડરોની સપ્લાય કરશે.
કોરોનાના દર્દીનું મોત ઓક્સિજનની અછતના કારણે નથી થયુ- રાજેશ ટોપે
જો કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ રવિવારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ કોરોનાના દર્દીનું મોત ઓક્સિજનની અછતના કારણે નથી થયુ. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના દર્દીનું મોત એટલા માટે થઈ રહ્યું છે કેમ કે તે હોસ્પિટલમાં મોડેથી પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે કોરોનાના પોણા 3 લાખ નવા કેસ દાખલ થયા છે. આ દરમિયાન 1625 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના અને તેનાથી થનારી મોતના અત્યાર સુધીના સૌથી વધારે મામલા છે.