દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ઘર બહાર થયેલા હુમલા બાદ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક મોટો આરોપ લગાવ્યો છે.
દિલ્હીમાં સીએમ કેજરીવાલના ઘર બહાર થયો હુમલો
આપ નેતા મનિષ સિસોદિયાનો મોટો આરોપ
ભાજપ કેજરીવાલની હત્યા કરવા માગે છે
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો આરોપ છે કે ભાજપ કેજરીવાલને હરાવી શકતી નથી તેથી તેમને મારવા માગે છે.
સિસોદિયાએ બુધવારે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છે.
પંજાબમાં હારને કારણે ભાજપ કેજરીવાલનું મર્ડર કરવા માગે છે-સિસોદિયા
મુખ્યમંત્રીના ઘર પર હુમલો થયો હોવાનો દાવો કરતા દિલ્હીના ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની જીત અને ભાજપની હારના કારણે ભાજપ કેજરીવાલને મારવા માંગે છે. પોલીસ જાણી જોઈને ભાજપના ગુંડાઓને સીએમ કેજરીવાલના નિવાસસ્થાને લઈ ગઈ હતી. તેઓએ મુખ્યમંત્રી નિવાસસ્થાનની સામે સી.સી.ટી.વી. કેમેરા અને અવરોધો તોડી નાખ્યા હતા.
કેજરીવાલ પરનો હુમલો દેશ સહન નહીં કરી શકે
સિસોદિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પર સમજી વિચારીને કરેલા ષડયંત્ર હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો. તેમને મારી નાખવા માટે કરવામાં આવ્યા હતા. હું ભાજપને કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરો. આ રીતે તેમના પર હુમલો કરીને તેમની હત્યાનું ષડયંત્ર આ દેશ સહન નહીં કરે. જે રીતે ભાજપે આજે ખૂની હુમલો કર્યો છે. પોલીસ તેમને બેરિયરમાં લઈ ગઈ. સીસીટીવી તૂટી ગયા હતા.
અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'કેટલાંક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો છે અને સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી બેરિયરને પણ તોડી નાંખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે.
70 કાર્યકરોની અટકાયત
પોલીસના જણાવ્યાં અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150થી 200 કાર્યકરોએ સવારનાં 11:30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાંક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતાં. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતાં. જો કે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની અટકાયત કરી લીધી હતી. આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.