પાકિસ્તાન એક મુસ્લિમ બહુલ્ય દેશ છે. અહીંયા આશરે 99 ટકા આબાદી મુસલમાનોની છે. કેટલીક વખત પાકિસ્તાન પોતાની કટ્ટરતાના કારણે ચર્ચામાં રહે છે.
પરંતુ આજે અમે તમને પાકિસ્તાનથી જોડાયેલી એક એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે હેરાન રહી જશો. તમને જાણીને હેરાની થશે કે મુસ્લિમ કટ્ટરતા વાળા આ દેશમાં ઘણા હિંદુ મંદિરો છે. જે હિંદુ માન્યતા પ્રમાણે ખૂબ મહત્વ ધરાવે છે.
એ મંદિરોમાંથી એક મંદિર સ્વામીનારાયણ મંદિર છે. આ મંદિર પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા શહેર કરાચીમાં આવેલું છે.
આ મંદિર આશરે 32 306 હજાર સ્કેવેર યાર્ડમાં બનેલું છે. આ મંદિર આશરે 160 વર્ષ જૂનું છે. અહીંયા મુસ્લિમ લોકો પણ પૂજા કરવા માટે આવે છે.
આટલું જ નહીં જ્યારે દેશમાં ભાગલા પડી રહ્યા હતા એ દરમિયાન આ હિંદુ મંદિરનો ઉપયોગ રેફ્યૂજી કેમ્પની જેમ કરવામાં આવ્યો હતો અને તમને જણાવી દઇએ કે આ મંદિરના પરિસરમાં એક ગુરુ નાનક ગુરુદ્વારા પણ આવેલી છે. સાથે તમને એવું પણ જણાવી દઇએ કે હિંગરાજ મંદિર માટે યાત્રા આ મંદિરથી શરૂ કરવાની હોય છે.