કન્ઝ્યૂમર અફેરના મંત્રી રામવિલાસ પાસવાને મંગળવારે કહ્યું કે આગામી 1 જૂનથી 'એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ'ની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. પાસવાને લોકસભામાં સવાલ-જવાબ દરમિયાન ગણેશસિંહ અને કેટલાક અન્ય સભ્યોના સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
1 જૂનથી 'એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ'ની વ્યવસ્થા શરૂ થશે
કન્ઝ્યૂમર અફેરના મંત્રી રામવિલાસ પાસવાને કરી જાહેરાત
આ વ્યવસ્થા શરૂ થશે તો ગરીબોને મળશે સુવિધા
14 રાજ્યોમાં પૉશ મશીન (PoS Machine)ની સુવિધા શરૂ થશે
તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં રાશન કાર્ડ માટે 14 રાજ્યોમાં પૉશ મશીનની સુવિધા શરૂ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે શરૂ થશે.
નવી વ્યવસ્થા જૂન 2020થી શરૂ થશે
મંત્રીએ કહ્યું કે, સરકારનું લક્ષ્ય છે આવતા વર્ષે 1 જૂન સુધીમાં 'એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ'ની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવે. આ લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. નવી વ્યવસ્થાના અમલ પછી, જો કોઈ ગરીબ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો તેને રાશન મેળવવામાં મુશ્કેલી નહીં આવે અને બનાવટી રાશનકાર્ડ પણ નહીં ચાલે.
લાભાર્થીઓ દેશની કોઈપણ જગ્યાએથી અનાજ મેળવી શકશે
દેશભરમાં 'વન નેશન વન રાશનકાર્ડ' યોજનાને લાગુ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ માટે, બધા રાશનકાર્ડનો ડેટા સર્વર સાથે જોડવામાં આવશે. 30 જૂન 2020 પછી લાભાર્થીઓ દેશના કોઈપણ ભાગમાં અને કોઈપણ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનાજ મેળવી શકશે.