One Ration Cardની યોજનાને પૂરી કરવામાં મુશ્કેલી આવી રહી હતી, કેન્દ્ર સરકારે આ 5 રાજ્યોને બેંક કે અન્ય બજારથી વધારાની લોન લેવાની પરમિશન આપી છે. આ 5 રાજ્યો વધારાની લોન લઈ શકે છે. આ યોજનાને પૂરી કરવા માટે આ રાજ્યોને લગભગ 1000 કરોડ રૂપિયાની જરૂર છે.
મોદી સરકારનું મોટું પગલું
One Nation One Ration Card યોજના માટે લેવાયો નિર્ણય
દેશના 5 રાજ્યો યોજના પૂરી કરવા લઈ શકશે વધારાની લોન
યોજનાને પૂરી કરવા આ 5 રાજ્યો લઈ શકે છે લોન
દેશમાં અત્યારસુધીમાં 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ યોજના લાગૂ કરી છે. 26 રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા શરૂ થઈ છે. અહીં બહારથી આવનારા લોકો પણ છે, જેઓ પણ પોતાના ભાગનું રાશન લઈ શકશે. આંધ્રપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ આ યોજનાનો લાભ જલ્દી મળવાનું શરૂ થશે.
81 કરોડથી વધુને મળશે લાભ
આ યોજનામાં દેશના 81 કરોડથી વધારે લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને 2525 કરોડ રૂપિયા, તેલંગાણાને 2508 કરોડ રૂપિયા, કર્ણાટકને 4509 કરોડ રૂપિયા, ગોવાને 223 કરોડ રૂપિયા અને ત્રિપુરાને 148 કરોડ રૂપિયાનું ઉધાર લેવાની પરમિશન આપી છે. સામાન્ય પરિસ્થિતમાં કોઈ પણ રાજ્ય ઘરેલૂ ઉત્પાદના 3 ટકા સુધી ઉધાર બજારમાંથી લઈ શકે છે પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ 5 રાજ્યોને પોતાના ઘરેલૂ ઉત્પાદનના 5 ટકા સુધીનો ઉધાર લેવાની પરમિશન આપી છે.
31 માર્ચ 2021 સુધી યોજનાથી જોડવાનો છે પ્લાન
મોદી સરકાર 31 માર્ચ 2021 સુધી 81 કરોડથી પણ વધારે લાભાર્થીઓને આ યોજનામાં જોડવાનો પ્લાન તૈયાર કરી રહી છે. આ યોજનાથી જોડાયા બાદ દેશની અડધી વસ્તીથી વધુ લોકોને લાભ મળશે. કેન્દ્ર સરકારની કોશિશ છે કે 31 માર્ચ 2021 સુધી દેશના દરેક રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ સાથે જોડી દેવાશે.