One Nation, One Ration Card યોજના મોબાઈલ નંબર પોર્ટેબિલિટી જેવી છે. એક રાજ્યથી અન્ય રાજ્યમાં તમારે ફક્ત નેટવર્ક બદલવાનું રહે છે પણ નંબર એ જ રહે છે. એવું જ તમારા રાશન કાર્ડ સાથે થશે. એટલે કે એક રાજ્યથી અન્ય રાજ્યમાં જતી સમયે તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. અન્ય રાજ્યની સરકારી દુકાનેથી પણ રાશન ખરીદી શકશો. તેના માટે કોઈ નવા રાશન કાર્ડની જરૂર રહેશે નહીં. તમારા જૂના રાશન કાર્ડને પ્રૂફ તરીકે માન્ય ગણાશે.
One Nation, One Ration Cardને લઈને નવી જાહેરાત
કોઈ પણ રાજ્યની સરકારી દુકાનેથી ખરીદી શકાશે રાશન
જૂના રાશન કાર્ડને પ્રૂફ તરીકે માન્ય ગણાશે
આ 2 રાજ્યના કરોડો લોકોને થશે ફાયદો
2 રાજ્યો તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશને એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાના આધારે 26 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને રાષ્ટ્રિય પોર્ટેબિલિટી સમૂહ સાથે જોડવામાં આવ્યા છે. આ બંને રાજ્યોએ રાષ્ટ્રીય કલ્સ્ટરની સાથે એકત્રિત થવા માટે પ્રારંભિક ગતિવિધિ જેમકે ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ, ઈપીઓએસ સોફ્ટવેરના ઉન્નયન, કેન્દ્રીય સાર્વજનિક વિતરણ પ્રણાલી અને અનાજ વિતરણ પોર્ટલની સાથે એકીકરણ તથા પ્રબંધન, કેન્દ્રીય ભંડારમાં રાશન કાર્ડ તથા લાભાર્થીના ડેટાની ઉપલબ્ધતા અને રાષ્ટ્રી પોર્ટેબિલિટીના આાધારે લેનદેનના પરીક્ષણને પૂર્ણ કર્યું છે.
જરૂરી છે આ ડોક્યુમેન્ટ્સ
વન નેશન વન રાશન કાર્ડનો ફાયદો લેવા માટે તમારી પાસે 2 ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. પહેલું તો તમારું રાશન કાર્ડ અને બીજું આધાર કાર્ડ. જ્યારે તમે અન્ય રાજ્યમાં જઈને રાશન કાર્ડનો લાભ લો છો તો તમારા વેરિફિકેશન આધાર નંબરની મદદથી કરાશે. દરેક રાશન કાર્ડની દુકાન પર એક ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ હશે. તેનાથી જ આઘાર નંબરની મદદથી લાભાર્થીનું વેરિફિકેશન પણ કરાશે.
શું થશે યોજનાનો ફાયદો
વન નેશન વન રેશનકાર્ડનો લાભ એક લોકોને મળશે. સૌથી મોટો ફાયદો પરપ્રાંતિય મજૂરોને થશે. તમે સરકારી દરે કોઈ પણ રાજ્યમાંથી અનાજ લઈ શકો છો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, ૨૦૧3 અનુસાર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) દ્વારા દેશના 81 કરોડ લોકો રાશનની દુકાનમાંથી પ્રતિ કિલો 3 રૂપિયાના ભાવે ચોખા, રૂપિયા 2 પ્રતિ કિલોના ભાવે ઘઉં અને કિલોગ્રામના 1 રૂપિયાના ભાવે મોટું અનાજ મેળવે છે યોજના મુજબ હવે આ 28 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના પીડીએસ-પીડીએસના કાર્ડ ધારકો 01 ઓક્ટોબર 2020 થી તેમની પસંદગીની કોઈપણ વાજબી ભાવની દુકાનમાંથી સમાન ધોરણે અને કેન્દ્રીય ઇશ્યૂ ભાવે સબસિડીવાળા અનાજ મેળવી શકે છે.
જૂના રાશન કાર્ડનું શું થશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વન નેશન, વન રાશન કાર્ડ યોજનામાં જૂનું કાર્ડ જ કામ કરશે. ફક્ત નવા નિયમના આધારે તેને અપડેટ કરાશે,જેથી તે આખા દેશમાં માન્ય રહે. અલગથી કોઈ નવું રાશન કાર્ડ બનાવવાની જરૂર રહેશે નહીં. પહેલેથી જે રાશન કાર્ડ છે તેનો ફાયદો જ લઈ શકાશે.
કયા રાજ્યોમાં ચાલી રહી છે આ સ્કીમ
આ સુવિધા પહેલાંથી જ 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આંધ્ર પ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર ,મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ અને લદાખમાં લાગુ કરાઈ છે. અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માર્ચ 2021 સુધીમાં રાષ્ટ્રિય પોર્ટેબિલિટીની સુવિધાનું લક્ષ્ય રખાયું છે.