સીપીએમ (CPM) નેતા સીતારામ યેચૂરી (Sitaram Yechury) એ 'એક દેશ એક ચૂંટણી' ને અવ્યવહારિક બતાવતા કહ્યું કે, આ એક નારો માત્ર છે. તે વ્યવહારુ નથી. યેચૂરીએ કેન્દ્ર સરકારના વિચારને અસંવૈધાનિક તથા સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ બતાવવા માકપાએ બુધવારે આરોપ લગાવ્યો કે, આ દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા બારણે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' ના વિચાર પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ માકપાના નેતા સીતારામ યેચૂરીએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'એક સાથે ચૂંટણીનો વિચાર દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા દરવાજે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન છે.' આ વિચાર અસંવૈધાનિક અને સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ છે.
યેચૂરીએ કહ્યું કે, આ પહેલા પણ એક સાથે ચૂંટણી યોજાઇ હતી પરંતુ અનુચ્છેદ 356 નો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી અનુચ્છેદ 356 રહેશે ત્યાં સુધી એક સાથે ચૂંટણી થઇ શકે નહીં.
યેચૂરી અનુસાર બેઠકમાં રાકંપાના શરદ પવાર અને ભાકપા સહિત ઘણી પાર્ટીના નેતાઓએ કહ્યું કે હાલની વ્યવસ્થામાં એક સાથે ચૂંટણી સંભવ નથી. સંવિધાનના અનુચ્છેદ 356 હેઠળ કેન્દ્ર કેટલીક કટોકટીની સ્થિતિમાં રાજ્યની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.
પીએમ મોદી (PM Modi) દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત વિપક્ષના પ્રમુખ નેતાઓમાં બસપાના અધ્યક્ષ માયાવતી, તૃણમૃલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાગ લીધો નહોતો.