વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં. વેપારીઓની ફેવરમાં એવુ આપ્યુ નિવેદન કે.. ચોમેર થઇ રહી છે ચર્ચા
મધુ શ્રીવાસ્તવની ફરી એકવાર દબંગાઇ
દબંગાઇનો વીડિયો આવ્યો સામે
વેપારીઓએ દબાણ ન હટાવવા ધારાસભ્યનો લીધો સહારો
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ફરી એકવાર દબંગાઇ સામે આવી છે. જરોદ ગામના વેપારીઓએ દબાણ હટાવવામાં ન આવે તે માટેની રજૂઆત કરવા મધુ શ્રીવાસ્તવના શરણે ગયા હતા. તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે.
કોઇની તાકાત નથી બાંધકામ તોડે- મધુ શ્રીવાસ્તવ
આ વીડિયોમાં ધારાસભ્ય દબંગાઇ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ એમ પણ બોલે ધારાસભ્ય ધારે એજ કરી શકે છે. બાકી બધા તો.. આમ કહીને અપશબ્દો કહી રહ્યા છે. કલેક્ટર આવે કે કોઇ પણ આવે,કોઇની તાકાત નથી કે બાંધકામ તોડે.. જરોદ ગ્રામપંચાયતે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે વેપારીઓને નોટિસ આપી હતી. ગ્રામજનો દબાણ હટાવવા વારંવાર TDOને રજૂઆત કરતા હતા...જેથી વેપારીઓએ દબાણ દૂર ના થાય તે માટે મધુ શ્રીવાસ્તવના શરણે ગયા હતા
હું કહું એમ જ થાય- મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા તંત્રએ વેપારીઓને નોટિસ આપી તો વેપારીઓએ MLA મધુ શ્રીવાસ્તવને આગળ કરી દીધા. ધારાસભ્યએ તેવર બતાવતા કહ્યું પોલીસવાળા આવે કે કલેક્ટર, કોઇની તાકાત નથી. હું કહું એમ જ થાય.
ત્રાહિત વ્યક્તિએ નોટિસ આપી- મધુ શ્રીવાસ્તવ
.ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે VTV સાથે વાત કરતા કહ્યું કે, ત્રાહિત વ્યક્તિએ વેપારીઓને નોટિસ આપી છે.આ દુકાનો દબાણમાં આવતી નથી.ગ્રામપંચાયતે નોટિસ નથી આપી એટલે દબાણ તોડવા નહીં દઉં. સાથે એમ પણ કહ્યું કે તાલુકા પંચાયત કે કલેકટર પણ દબાણ તોડશે નહીં.
'તો પહેલુ બુલ્ડોઝર મારા પર ફેરવવું પડશે'
ગેરકાયદે દબાણ ન હટાવવા વેપારીઓએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સહારો લીધો છે. મધુ શ્રીવાસ્તવ વીટીવી સાથે વાત કરતા એમ પણ જણાવ્યુ કે આ
ખોટી નોટિસો અપાઇ છે તેથી મેં વેપારીઓને બાંહેધરી આપી છે. વેપારીઓની દુકાન બહારના દબાણો દૂર કર્યા છે. હું ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓને નુકસાન થવા દઇશ નહીં. દબાણો ખોટી રીતે તોડાશે તો પહેલું બુલડોઝર મારા પર ફેરવવું પડશે.