અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસને કારણે AMCના કર્માચારીએ કરી લીધો આપઘાત, અશોક યાદવ નામના કર્મચારીએ જીવન ટુંકાવ્યું
અમદાવાદમાં AMC કર્મીનોનો આપઘાત
અશોક યાદવ નામના કર્મીનો કર્યો આપઘાત
વ્યાજખોર કરતો હતો પઠાણી ઉઘરાણી
અમદાવાદમાં ફરી વ્યાજ ખોરીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે AMCના કર્માચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરદારનગરમાં રહેતા અશોક યાદવ નામનો કોર્પોરેશનનો કર્મચારી વ્યાજખોરો ત્રાસ સહન ન કરી શકતા તેને અંતિમ પગલું ભર્યું છે.
અમદાવાદમાં AMC કર્મીનોનો આપઘાત
મહત્વનું છે કે વ્યાજખોર અશોક યાદવ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને કર્મચારીએ જીવન ટુંકાવ્યું છે. અશોક યાદવ દરિયાપુરમાં AMC ઓફિસ રોડ ખાતામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોર કરતો હતો પઠાણી ઉઘરાણી
ઉલ્લેખનિય છે કે અવાર નવાર વ્યાજખોરીના કારણે આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો જે જેમાં પઠાણી ઉઘરાણી કરાતા AMCના કર્મચારીએ મોતને વાહલું કર્યું છે. અગાઉ પણ વ્યાજખોરીને લીધે અનેક લોકોને આપઘાત કર્યા હોવાનું સામે આવી ચુક્યું છે ક્યારે હવે વ્યાજખોરો સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું ?