અમદાવાદ મનપાના પૂર્વ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપી દેતાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂંકપ સર્જાયો છે.
કોંગ્રેસના વધુ એક નેતા દિનેશ શર્માનું કોંગ્રેસમાંથી રાજીનામું
AMCમાં વિપક્ષના નેતા તરીકે બજાવી ચુક્યા છે ફરજ
મનપસંદ બેઠક પરથી ચૂંટણી લડવા ન મળતા હતા નારાજ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે રાજકારણ ભારે ગરમવો શરૂ થઈ જાય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજ સિંહ બાદ આજે અમદાવાદના પૂર્વ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપી દેતાં વધુ કોંગ્રેસ પક્ષને વધુ એક આંચકો લાગ્યો છે.
દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
AMC પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસના પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે,દિનેશ શર્મા પાસેથી મનપા ચૂંટણી પૂર્વે વિપક્ષ પદેથી રાજીનામું લેવાયું હતું. જેને લઈને તેઓ નારાજ હતાં. આ સાથે તેઓને તેમની મનપસંદ બેઠક પરથી મનપાની ચૂંટણી લડવા ન મળતા પણ નારાજ હતાં. મહત્વનું છે કે, AMCની ગત ચૂંટણીમાં દિનેશ શર્માની હાર થઈ હતી.
વિખવાદ અંગે રાહુલા ગાંધીને મળવા માંગ્યો હતો સમય
મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીમાં દિનેશ શર્મા ભરતસિંહ સોલંકીના ખાસ વ્યક્તિ તરીકેનું મનાઈ રહ્યું છે. તેમજ ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ સાથે લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હોવાની અટળકો પણ છે. આ વિખવાદ અંગે તેઓએ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો હતો. બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં રઘુ શર્મા ડેમેજ કંટ્રોલ કરે એ પહેલા જ રાજીનામું આપ્યું છે. હવે ચર્ચાઈ રહ્યું છે કે, દિનેશ શર્મા સાથે અમદાવાદ મનપાના અન્ય કેટલાક કોંગ્રેસી કોર્પોરેટરો પણ પાર્ટીનો હાથ છોડી શકે છે.