જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો થયો હતો. આજે બંદીપોરા નજીક થયેલ હુમલામાં છ નાગરિકો ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો થયો હતો. આજે બંદીપોરા નજીક થયેલ હુમલામાં છ નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલો એક ગ્રેનેડ હુમલો હતો. આ હુમલો થયા બાદ નાગરિકો ડરી ગયા હતા.
બંદીપોરા નજીક થયેલ ગ્રેનેડ હુમલામાં છ સિવિલિયન્સ ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સુંબલ પુલ ક્ષેત્ર નજીક ગ્રેનેડ ફેંક્યા હતા અને તેમાં છ લોકો ઘાયલ થયા હતા.
Jammu and Kashmir | Few civilians injured in grenade attack by terrorists in Sumbal bridge area of Bandipora; Security forces present at the site of the attack pic.twitter.com/JB5d1HAHtk
આ છ . લોકોમાં મહિલાઓ પન શામેલ છે. બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જેમને નજીક શ્રીનગર ખાતે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ચાર અન્ય લોકોનો ઈલાજ બંદીપોરામાં જ ચાલી રહ્યો છે. હાલ તો સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યો છે. અને ઘટના સ્થળે સુરક્ષાદળો પણ હાજર છે.
અગાઉની ઘટના
આ પહેલા આતંકવાદીઓએ પુલવામાના કાકપોરા વિસ્તારમાં પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જે હુમલામાં કોઇપણ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી મળી. સેના અને પોલીસે જવાનોના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
હાલ થોડા દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે પહેલા દિવસે જ આતંકવાદીઓ સાથે લડવાની યોજના પર લાંબી બેઠક કરી હતી. 4 કલાક સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહે કેન્દ્રીય એજન્સીઓને સાથે મળીને કામ કરવા માટે કહ્યું અને આતંકવાદીઓ પર અંતિમ પ્રહાર કરવાની વાત કરી. આ સિવાય, શાહે જમ્મુ કાશ્મીરના યુવાનો સાથે પણ મુલાકાત કરીને તેને સંબોધિત કર્યા હતા