ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ પહેલા મોટી આફત સર્જાઈ છે. કોચ રવિ શાસ્ત્રી બાદ હવે ગુરુવારે ટીમ ઈન્ડીયાના ફિઝિયો યોગેશ પરમારને કોરોના થતા ચિંતાનું મોજું ફેલાયું છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ પહેલા ખરાબ સમાચાર
ટીમ ઈન્ડીયાના વધુ એક સપોર્ટ સ્ટાફને કોરોના
ચોથી ટેસ્ટ પર ખતરો
આ પહેલા રવિ શાસ્ત્રીને કોરોના પોઝિટીવ થઈ ચૂક્યા છે
રવિ શાસ્ત્રી બાદ હવે ટીમ ઈન્ડીયાના ફિઝિયો યોગેશ પરમાર કોરોનાગ્રસ્ત થયા છે. યોગેશ પરમારના કોરોના પોઝિટીવ થયાના સમાચાર વહેતા થયા બાદ ટીમ ઈન્ડીયામાં ચિંતાનું મોજું ફેલાયું હતું. ગુરુવારે સવારે રાખવામાં આવેલું ટ્રેનિંગ સેશન પણ રદ કરી દેવાયું તથા તમામ ખેલાડીઓને તેમના હોટલના કમરામાં મોકલી દેવાયા છે અને તેમને ત્યાં જ રહેવાનો આદેશ પણ આપી દીધો હોવાનું જણાવાય છે. તમામ ખેલાડીઓના ફરી વાર ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતા.
#ENGvIND, 5th Test - Team India's training cancelled as a support staff member tests positive for #COVID19: BCCI sources
ભારત 2-1 થી શ્રેણીમાં આગળ, અંતિમ અને પાંચમી ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમાશે
ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડમાં છે. શ્રેણીની ચાર મેચ રમાઈ છે. ભારત 2-1 થી આગળ છે. ઓવલમાં સિરિઝની ચોથી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. સિરિઝની આખરી ટેસ્ટ 10 સપ્ટેમ્બરે ન્ચેસ્ટરમાં રમાશે. જોકે હવે સપોર્ટ સ્ફાટના સભ્યને કોરોના થયો હોવાથી મેચ રમાશે કે નહીં તેને લઈને અનિશ્ચતતા ઊભી થઈ છે.
રવિ શાસ્ત્રી પણ કોરોના પોઝિટીવ થયા હતા
ઉલ્લેખનીય છે કે રવિવારે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના પોઝિટીવ થયા હતા. શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના અન્ય બે સભ્યોને પણ આઈસોલેટ કરાયા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે રવિવારે આ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.