રાજકોટ પોલીસ પર વધુ એક ગંભીર આક્ષેપ લાગ્યો છે. જેમા એસીપી, પીઆઈ અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ સામે 4 કરોડની ઉઘરાણીના આરોપ લાગ્યા છે. સાથેજ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભીખા વસોયાના પરિવાર ઉપર પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો લાગ્યા છે.
રાજકોટ પોલીસ પર વધું એક ગંભીર આક્ષેપ
ACP, PI અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ સામે વધું એક ગંભીર આક્ષેપ
4 કરોડની ઉઘરાણીના લાગ્યા આરોપ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચાર મુદ્દે જે આક્ષેપો લાગ્યા તે મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યાકરે વધુમાં ફરી રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યો છે. ACP, PI અને ડી સ્ટાફના કોન્સ્ટેબલવ પર આરોપ લાગ્યા છે કે તેમણે ધનંજય ક્રેડિટ સોસાયટીના નામે જમીન લખાવી લીધી હતી.
4 કરોડની ઉઘરાણીના આરોપ
આ સમગ્ર મામલે ભાજપના પૂર્વ શહેર પ્રમુખના પરિવાર સ્વ ભીખા વસોયાના પરિવાર સામે પણ આક્ષેપ થયા છે કે તેમના પરિવાર દ્વારા 4 કરોડની ઉઘરાણી કરીને પ્રોમિસરી નોટ લખાવામાં આવી હતી. પોલીસ દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી તેવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રૂપિયા ન આપના પડે તે માટે તરકટ રચાયું : જયદિપ વસોયા
ફરિયાદ કંચરનબેન પાંભરએ ન્યાય ન મળે તો ઈચ્ચામૃત્યુીની માગ કરી છે. તો બીજી તરફ સ્વા ભીખા વસોયાના પુત્ર દ્વારા તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. જયદિપ વસોયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફાયનાન્સ પેટે 4 કરોડ આપવામાં આવ્યા હતા. સાથેજ જયદિપ વસોયાએ ઉંઘા એવા આક્ષેપો પણ કર્યા છે કે રૂપિયા ન આપવા પડે તે માટે તરકટ રચવામાં આવ્યું છે.
જયદિપ વસોયાએ બધા આરોપો ફગાવ્યા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સ્વ ભીખા વસોયાના પુત્ર જયદિપ વસોયાએ તેમના પર અને રાજકોટ પોલીસ પર લાગેલા આક્ષેપો ફગાવ્યા છે. સાથેજ તેમણે કોઈપણ જમીન ન લખાવી હોવાનો દાવો પણ કર્યો છે.