કેસો સામે આવ્યા ત્યારે એવું તારણ કાઢવામાં આવ્યું કે બ્લેક ફંગસ મુખ્યત્વે વધુ પડતાં સ્ટેરોયેડના લીધે થાય છે, પણ દિલ્હીના AIIMS ના ડોક્ટરે દાવા સાથે કહ્યું છ
મ્યુકરમાઇકોસિસના વધતાં જતાં કેસો પાછળ ઘણા કારણો છે જવાબદાર
ડૉક્ટર અને પ્રોફેસર ઉમા કુમારનો આ દાવો છે
અમદાવાદમાં એક 15 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ થયો
મ્યુકરમાઇકોસિસના વધતાં જતાં કેસો પાછળ ઘણા કારણો છે જવાબદાર
કોરોના સંકટ વચ્ચે દેશભરમાં મ્યુકરમાઇકોસિસના કેસ સતત સામે આવી રહ્યા છે. ભારતના કેટલાક રાજ્યોમાં તો બ્લેક ફંગસના કેસો વધતાં મહામારી જાહેર કરવામાં આવી છે. આ નવી બીમારીને લીધે ઘણા લોકો ચિંતામાં આવી જાય છે. એવામાં મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ બીમારી થવા પાછળના કારણો શું હોય શકે? સહાય માટે આ બીમારીના કેસ વધતાં જ જઈ રહ્યા છે?
ડૉક્ટર અને પ્રોફેસર ઉમા કુમારનો આ દાવો છે
જ્યારે બ્લેક ફંગસના કેસો સામે આવ્યા ત્યારે એવું તારણ કાઢવામાં આવ્યું કે બ્લેક ફંગસ મુખ્યત્વે વધુ પડતાં સ્ટેરોયેડના લીધે થાય છે, પણ દિલ્હીના AIIMS ના ડોક્ટરે દાવા સાથે કહ્યું છે કે આ બીમારી આ કારણે જ વધી રહી છે. આ દાવો કરનાર ડૉક્ટર અને પ્રોફેસર ઉમા કુમારનું કહેવું છે કે કોરોનાના દર્દીને મેડિકલ ઑક્સીજનના બદલે જ્યારે ઇન્ડસ્ટ્રિયલ ઑક્સીજન આપવામાં આવે છે એટલે તેના કેસો વધતાં જઈ રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે હ્યુમિડીફાયરમાં સ્ટેરાયલ પાણીના બદલે અશુદ્ધ પાણી વાપરવામાં આવે છે અને સાથે જ ધોયા વગરના એક જ માસ્ક દર્દી પહેરી રાખે છે. અને વધુ પડતાં સ્ટેરોયેડ પણ આપવામાં આવે છે.
અમદાવાદમાં એક 15 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ થયો
અમદાવાદમાં પણ આ કેસ દિવસેને દિવસે વધતાં જઈ રહ્યા છે, આટલું જ નહીં પણ અમદાવાદમાં એક 15 વર્ષના બાળકને પણ મ્યુકરમાઇકોસીસ થયો હોવાનું સામે આવ્યું છે. પણ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આ બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓ વધ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ કહ્યું કે હાલ સિવિલ હોસ્પિટલમાં 489 દર્દીઓ દાખલ છે. અને સિવિલમાં મ્યુકરમાઈકોસીસની રોજ 30 જેટલી સર્જરી કરવી પડે છે. સામે રોજ નવા 30 જેટલા દર્દીઓ પણ દાખલ થઈ રહ્યા છે. સાથે આટલા જ દર્દીઓ રોજ ડિસચાર્જ પણ થઈ રહ્યા છે. આ બધી સમસ્યા વચ્ચે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ સિવિલમાં ઇન્જેક્શનની અછત ન હોવાનો પણ દાવો કર્યો છે.