ગાંધીનગરમાં ઇન્દિરા ગાંધી ભવનને તોડી નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવવા દરખાસ્ત સામે આવ્યા બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ભવનને તોડી પાડવાની વાતને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે PMને પોતાના નામની ભૂખ નથી, વડાપ્રધાને વિદેશમાં ભારતી પ્રસિદ્ધિ વધારી છે, PMના નામથી નવુ ભવન બને તેમાં કોને વાંધો હોઈ શકે, જો કે કોંગ્રેસના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ભવનને તોડી પાડીને તેના સ્થાને નવા ભવનના નિર્માણ કરવાના મુદ્દે કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર સેકટર 17માં આવેલું છે ઇન્દિરા ગાંધી ભવન
ગાંધીનગરના સેક્ટર-17 ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલીત ઇન્દીરા ગાંધી તાલીમ ભવન આવેલું છે પાંચ દાયકા જુના આ ભવનને તોડી પાડીને નવા રાષ્ટ્રીયકક્ષાનું દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહત્વનું છે દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાનને વધુ મજબુત બનાવવા માટે વર્ષ 1983માં ગાંધીનગરના સેક્ટર-17 ખાતે પંચાયતી તાલીમ ભવનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
1983માં ઇન્દિરા ગાંધીના હસ્તે ભવનનું કરાયું હતું ઉદ્ઘાટન
ઉલ્લેખનિય કે જે તે વખતે આ તાલીમ ભવનનું તે વખતના વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દ્વારા શીલાન્યાસ કરાયો હોવાના કારણે આ ભવનનું નામ ઇન્દીરા ગાંધી ભવન રાખવામાં આવ્યું હતું અને આ તાલીમ કેન્દ્રનું સંચાલન ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદને સોંપવામાં આવ્યું હતું. હવે રાજ્યમાં મોટાભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે ત્યારે પંચાયતી રાજમાં પણ નામ બદલવાની માંગ ઉઠી છે, તાજેતરમાં ગાંધીનગર ખાતે મળેલી એક બેઠકમાં દેશના વિકાસ અને પંચાયતીરાજને વધુ સુદ્રઢ અને મજબુત બનાવવા આ તાલિમ ભવનનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાંચ દાયકા જુના આ જર્જરીત ઇન્દીરા ગાંધી તાલીમ કેન્દ્રને તોડી પાડી પાડીને ત્યાં 'નરેન્દ્ર મોદી તાલિક કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી દરખાસ્ચ મુકવામાં આવી છે.
પંચાયત પરિષદની મળેલી બેઠકમાં ગાંધીનગરના સેક્ટર 17માં આવેલા ઈન્દિરા ગાંધી ભવનને તોડી પાડીને નવુ ભવન તૈયાર કરવાની રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 1983માં એ વખતે PM ઈન્દિરા ગાંધીના હસ્તે આ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.જેને હવે તોડી પાડીને નવા ભવનનું નિર્માણ કરવામાં આવે અને આ ભવનને નરેન્દ્ર મોદી તાલિમ ભવના નામ અપાય તેવી દરખાસ્ત મુકવામાં આવી છે.