ફિલ્મ 'થલાઈવી'ની શૂટિંગને કારણે કંગના રનૌત હાલ ચેન્નઈમાં છે. ફિલ્મના સેટ પર ભરતનાટ્યમ સીક્વેન્સ શૂટ કરવામાં આવી રહ્યું છે. આ લુકમાં કંગનાએ સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી છે. જેમાં તે ભરતનાટ્યમના સ્ટેપ કરતી જોવા મળી રહી છે. જયલલિતાની બાયોપિક 26 જૂનના રોજ રિલીઝ થવાની છે.
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પંગાની ડિરેક્ટર અશ્વિની અય્યર તિવારી પણ ચેન્નઈ પહોંચી હતી. જ્યાં તે કંગનાને મળી હતી અને આ મુલાકાતની તસવીર કંગના અને અશ્વિનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પોસ્ટમાં કંગનાની પ્રસંશા કરતાં અશ્વિનીએ લખ્યું, મારી આ મહેનતુ મિત્રને ગળે લગાવવાનું મન કરી રહ્યું હતું, જેથી હું તેને સરપ્રાઈઝ આપવા માટે ચેન્નાઈ આવી ગઈ. મારી જયા/થલાઈવી સાથે વાતચીત કરવાનો સિલસિલો ચાલુ છે.
થલાઈવી માટે કંગનાએ ગત વર્ષે નવેમ્બરમાં શૂટીંગ શરૂ કર્યું હતું. ફિલ્મનું પ્રોડ્કશન વિષ્ણુ ઈન્દુરી કરી રહ્યા છે, જ્યારે એલ વિજય ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કંગના રનૌત ટાઈટલ રોલ નિભાવશે. ત્રણ ભાષામાં બની રહેલી આ ફિલ્મ માટે કંગનાએ ભરતનાટ્યમ અને તમિલ ભાષા શિખવા માટે ક્લાસિસ પણ કર્યા છે.
1965થી 1973 સુધી, એમજીઆરએ જયલલિતા સાથે લગભગ 28 ફિલ્મોમાં કામ કર્યું હતું. જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ 'આયરાથિલ ઓરુવન' હતી. જે 1965માં આવી હતી. એમજીઆરએ પણ તેમને રાજકારણમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અરવિંદ સ્વામી આ રોલ નિભાવી રહ્યા છે.