જામનગર: ગુજરાતમાં પાક નિષ્ફળ જવાને કારણે વધુ એક ખેડૂત પરિવારના સભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂત પરિવારની મહિલાએ પાક નિષ્ફળ જવાને કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મહિલાના મૃતદેહને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કપરી બનતી જઇ રહી છે. ત્યારે વધુ એક ખેડૂત હિંમત હાર્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ખેડૂત પરિવારની એક મહિલાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મોંઘા બિયારણો અને બેંક લોનની હોડમાં વધુ એક ખેડૂતે જીવન ટુંકાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતને સાચવવા કરવામાં આવતી મોટી મોટી સભાઓ ખેડૂતો માટે લાંબી લચક યોજનાઓ છતા આપઘાત કેમ કરવા મજબૂર છે આજનો ખેડૂત કાગળીયા વાયદા ક્યારે ખરેખરમાં સાચા થશે અને ઘરતીના તાત જીવી શકશે. મહિલાના આપઘાતને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.
આ સાથે જ એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી જેમાં પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરેલો હતો આ ઘટનાને પગલે આસપાસના લોકો ખેડૂતના ઘરે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને મહિલાના મૃતદેહને નજીકની જીજી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યો હતો.