સ્વામી મંદિર વિસ્તારમાં રહેતા સ્થાનિકો પહોંચ્યા SP કચેરી પહોંચ્યા હતા, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાડુઆત મકાન ધારકોને ખાલી કરાવવા ધમકી અપાતી હોવાનો આક્ષેપ લગાવ્યો
જૂનાગઢનું જવાહર રોડ સ્વામી મંદિર ફરી વિવાદમાં
સ્વામી મંદિર વિસ્તારમાં રહેતા સ્થાનિકો પહોંચ્યા SP કચેરી
મંદિર દ્વારા મકાન ખાલી કરાવવા ધમકી અપાતી હોવાનો આક્ષેપ
જૂનાગઢનું જવાહર રોડ સ્વામી મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. સ્વામી મંદિર વિસ્તારમાં રહેતા સ્થાનિકો પહોંચ્યા SP કચેરી પહોંચ્યા હતા. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાડુઆત મકાન ધારકોને ખાલી કરાવવા ધમકી અપાતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાથે ભાડુઆતોએ પોતાની અરજીમાં કહ્યું કે, પોલીસને સાથે રાખી મકાન ખાલી કરાવવાની કોશિશ ચાલી રહી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અમારા બાપ-દાદાના સમયથી અહીં ભાડું નિયમિત આપીને રહીએ છીએ. આમ છતાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કનડગત કરવામાં આવી રહી છે. આ બાદ સ્થાનિકો મંદિરના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવા SPને રજૂઆત કરી હતી. ભાડુઆતો દ્વારા મંદિરના કોઠારી સામે પણ આક્ષેપ કરાયા હતા. સ્થાનિક ભાડુઆતો દ્વારા CCTV પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસકર્મી અને સંતો દેખાઈ રહ્યા છે. સાથે સ્થાનિક લોકો પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલો ઘરના રિપોરિંગથી શરૂ થયો હતો.