અમદાવાદના બાપુનગરમાં એક મકાનની છત પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સવાલો ઉઠવવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં સ્લેબ તુટતા એક વ્યક્તિનું મોત થયું છે. મકાનનો સ્લેબ તુટતા એક વ્યક્તિનુ મોત થયું છે. આ બનાવ બાપુનગરના સોનારિયા બ્લોકમાં બન્યો હતો. આ સ્લેબના કાટમાળમાં દબાઇ જતા આ વ્યક્તિનું માત થયું છે.
મળતી માહિતી અનુસાર, મૃતક થોડા દિવસ પહેલા જ રહેવા માટે અહિં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
જોકે આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનીકોમાં રોષની લાગણી વ્યાપી છે. કોર્પોરેશન દ્વારા કોઇ પગલાં ન લેવાતા મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનીકો દ્વારા પુનઃવિકાસમાં અનેક વખત રજુઆત કરાઇ હોવાનો દાવો પણ કર્યો છે.
સ્થાનીકો દ્વારા બિલ્ડિંગના નિર્માણમાં ખામી રાખવામાં આવી હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારના બિલ્ડિંગ જર્જરિત હોવા છતા એએમસીના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ એક છત ધરાશાયી થઇ હતી. જોકે તેમાં કોઇ જાનહાની થવા પામી ન હતી. ત્યારે આજે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ સમગ્ર ઘટનાને લઇને જવાબદાર કોણ?