પંજાબના ભટીંડા જિલ્લાના એક ગામના સરપંચે એવું ફરમાન બહાર પાડીને એવું જણાવ્યું છે કે ગામના દરેક પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં સામેલ થવું જોઈએ. જો કોઈ પરિવાર આવું ન કરી શકે તો તેને માટે 1500 રુપિયાનો દંડ ભરવો પડશે.
વિર્ક ખુર્દ ગામના સરપંચ મનજિત કૌરે ગામના દરેક પરિવારના એક સભ્યને દિલ્હી બોર્ડરે મોકલવાનો આદેશ આપ્યો
દિલ્હી બોર્ડરે ખેડૂત આંદોલનમાં ન જનાર પરિવારે 1500 નો દંડ ભરવો પડશે, દંડ ન ભરનાર પરિવારને નાત બહાર મૂકાશે
દેશભરના તમામ ખેડૂતોને યોગેન્દ્ર યાદવની અપીલ- પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં મોકલો
પંજાબના ભટીંડા જિલ્લાના એક ગામના સરપંચે એવું ફરમાન બહાર પાડીને એવું જણાવ્યું છે કે ગામના દરેક પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં સામેલ થવું જોઈએ. જો કોઈ પરિવાર આવું ન કરી શકે તો તેને માટે 1500 રુપિયાનો દંડ ભરવો પડશે.
ભટીંડાના વિર્ક ખુર્દ ગામના સરપંચ મનજિત કૌરે એવું જણાવ્યું કે ગામના દરેક પરિવારના સભ્યે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી ખેડૂત આંદોલનમાં હાજરી આપવી જોઈએ.જેઓ આંદોલનમાં નહીં જાય તેમણે 1500 નો દંડ ભરવો પડશે. તેમણે એવું પણ કહ્યું કે દંડ ભરવાનો ઈન્કાર કરનાર પરિવારે નાત બહાર મૂકવામાં આવશે.
સ્વરાજ ઈન્ડીયા ચીફ યોગેન્દ્ર યાદવે શુક્રવારે દેશભરના તમામ ખેડૂતોને એવી અપીલ કરી હતી કે તેમણે તેમના પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં મોકલવા જોઈએ. રાકેશ ટિકૈતના આંસુએ ખેડૂતો પર લાગેલા ડાઘને ભૂંસી નાખ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથે ખેડૂતોની વાત સાંભળવી પડશે. ખેડૂતો અપમાનિત થઈને આ આંદોલનમાંથી પરત જવાના નથી તે સરકારે સમજી લેવું જોઈએ.
ખેડૂત સંગઠનોએ શનિવારે મહાત્મા ગાંધીની પૂણ્યતિથિએ સદભાવના દિવસ મનાવીને એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યાં હતા. દિલ્હીના સિંધુ બોર્ડર પર પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા ખેડૂત સંગઠનના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપની ઝાટકણી કાઢતા તેમની પર શાંતિપૂર્ણ ચળવળને ખતમ કરવાનો આરોપ મૂક્યો. ભારત કિશાન યુનિયનના નેતા જગજિત સિંહ ડલેવાલે એવું જણાવ્યું કે ખેડૂત આંદોલનને કચડી નાખવાનું ભાજપનું ષડયંત્ર ખુલ્લુ પડી ગયું છે. ગાઝિયાબાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આંદોલનકારી ખેડૂતોને ગુરુવાર રાત સુધીમાં યુપી ગેટ પ્રોટેસ્ટ સ્થળ ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપી દેવાયું છે.