નવસારી: ખારેલ રાનકુવા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એસ.ટી.બસે યુવકને અડફેટે લેતા યુવકનુ ઘટના સ્થળે મોત થયુ હતું. મળતી માહિતી મુજબ એસ.ટી. ડ્રાઈવર અકસ્માત કરી બસ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારે બે મોટર સાઈકલ સવારોએ બસનો પીછો કરીને બસ રોકાવી હતી. ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.
જોકે ડ્રાઈવર ઝડપાતા તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતું. આમ, બસ ચાલક નશામાં હોવાના કારણે અકસ્માત સર્જાવાની ઘટના બની હતી. જેની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાપીમાં બીજો અકસ્માતઃ ઉચ્છલમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત
તાપીના ઉચ્છલના ચચરબૂંદા નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું. સુરતથી બાલદા જતી એસ.ટી બસ અચાનક કાર સાથે અથડાઈ હતી. જેના પગલે અફરા તફરી મચી ગઈ હતી. તો બીજી તરફ કારમાંથી દારૂની બોટલ મળી છે. પ્રાથમિક તપાસમાં કારચાલક દારૂના નશામાં હોવાનું અનુમાન છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.